________________
૨૯૦
શ્રી પાવાપુરી તીર્થ
થ્રીપાવાપુરી-તીર્થ
બ્રમહાવીર સ્વામી ભગવાનની અંતિમËાના ભૂમિ
– સાક્ષ-નિર્વાગવામિ–
પટણાથી પાવાપુરી ૬૦ કિ.મી. દૂર છે. પાવાપુરી બિહારશરીફથી ૧૪ કિ.મી. દૂર છે. ભગવાન મહાવીરને જાવાલીકા નદીના કિનારે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું પછી તેઓ અહીં પધાર્યા. રોજ બે વખત દેશના આપે છે. બે વખત થઈ રોજની છ કલાક દેશના આપે છે. અનેક જીવોને પ્રતિબોધી દીક્ષા આપે છે. ૧૧ બ્રાહ્મણ પંડિતો પોતાના શંસયો (શંકાઓ) દૂર થતાં પોતાના ૪,૪૦૦ શિષ્યો સાથે પ્રભુ પાસે વૈશાખ સુદ અગિયારસને દિવસે દીક્ષા અંગીકાર કરે છે. ભગવાન આ ૧૧ બ્રાહ્મણ પંડિતોને પોતાના ગણધરો તરીકે સ્થાપે છે. ચંદનબાળા આદિ બેનોને સર્વ વિરતિરૂપ દીક્ષા આપી, ઘણા ભાગ્યશાળીઓને શ્રાવક-શ્રાવિકા બનાવ્યાં. ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. ગણધર ભગવંતોએ આગમ સૂત્રોની રચના કરી.
ભગવાને ૪૧મું ચાતુર્માસ રાજગૃહીમાં કર્યું. ૭૨માં વર્ષે ભગવાન ચંપાપુરીથી વિહાર કરી પાવાપુરી પધાર્યા અહીં હસ્તિપાલ રાજા રાજ્ય કરતા હતા. હસ્તિપાલ રાજાની કચેરીમાં બેતાલીસમું ચાતુર્માસ કરવા પડ્યા. ભગવંતનું આ અંતિમ ચાતુર્માસ હતું. પ્રભુની વાણી સાંભળવા તથા દર્શનાર્થે અનેક રાજાઓ તથા શ્રોતાઓ રોજ પધારે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org