SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૨૮૯ ::::::::::::::::: :::::: :::::::: :: ૨ પટણાથી બસ દ્વારા જઈ શકાય છે. મુજફરપુરથી ૩૭ કિ.મી. દૂર છે. ઈ.સ. પૂર્વે ૬૦૦ની સાલમાં વૈશાલી પ્રજાસત્તાક રાજ્ય હતું. ભગવાન મહાવીરે વૈશાલીમાં છ ચાતુર્માસ કર્યા હતા. અહીંના રાજા ચેટક જૈન ધર્માવલંબી હતા અને શ્રી પાર્શ્વનાથ ભગવાનના અનુયાયી હતા. ભગવાન મહાવીરના માતાનું નામ ત્રિશલાદેવી હતું અને તે રાજા ચેટકનાં બેન હતાં. અહીં એક દિગંબર મંદિર છે, જેમાં શ્રી મહાવીર સ્વામી ભગવાનની ૩૮ સે.મી.ની મૂર્તિ છે. જોવાલાયક સ્થળ: અશોક સ્તંભ-લાલ પથ્થરમાંથી બનાવેલો છે.. ૧૮.૩ મીટર ઊંચો છે. જેની ઉપર સિંહના પૂર્ણ કદના મસ્તક છે. પટણાથી પાવાપુરી-રાજગૃહી જતાં બિહારશરીફ વચ્ચે આવે છે. પટણાથી ૪૭ કિ.મી. દૂર છે. જ્યાં ચાર જૈન મંદિરો આવેલાં છે. (૧) લાલબાગમાં શ્રી આદીશ્વર ભગવાનનું શિખરબંધી દેરાસર. (૨) મથિયાન મહોલ્લામાં શ્રી મહાવીર સ્વામી ભગવાનનું શિખરબંધી દેરાસર છે. મેડા ઉપર શ્રી શાંતિનાથ ભગવાન છે. (૩) શ્રી ચંદ્રપ્રભસ્વામી ભગવાનનું મંદિર (૪). શ્રી અજીતનાથ ભગવાનનું મંદિર. બિહારશરીફનું પ્રાચીન નામ તુંગીયા નગરી હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy