________________
૨૮૮
શ્રી પટણા તીર્થ નૃત્ય-સંગીતથી ડગ્યા નહિ. રાગને જીતી ગયા. કોશા શરમાઈ ગઈ, અને શ્રાવિકા બનીને બારવ્રત ધારણ કર્યા.
શેઠ સુદર્શનને ચંપાપુરીમાં અભયારાણીના આંથી શૂળી પર ચઢાવવામાં આવ્યા હતા, પરન્તુ મહામંત્રનવકારના પ્રભાવથી ઘણી સિંહાસનમાં ફેરવાઈ ગઈ. શેઠ સુદર્શને દીક્ષા લીધી અને તેઓ કેવળજ્ઞાન પામી મોક્ષ ગયા. પાટલીપુત્રમાં ગુલઝાર બાગમાં તેઓ કાળધર્મ પામ્યા હતા. આચાર્ય સ્થૂલિભદ્રજી ઈ.સ. પૂર્વે ૩૧૧માં પાટલીપુત્રમાં કાળધર્મ પામ્યા હતા. ગુલઝાર બાગમાં સુદર્શન કેવળીના તથા આચાર્ય સ્થૂલિભદ્રજીનાં સ્મારક છે, જેમાં તેઓની ચરણ પાદુકાઓ છે. આ સ્થળે આમ્રવાટિકા છે. જેમાં રૂપકોશાનો આવાસ હતો. સ્થૂલિભદ્રજી તથા રૂપકોશા આ સ્થળે બાર વર્ષ સુધી સાથે રહ્યા હતા અને સ્થૂલિભદ્રજીએ ચાતુર્માસ કર્યું હતું.
પટણાસીટી ચોકમાં, બાંડેકી ગલીમાં દેરાસર -ઉપાશ્રય છે. મૂળનાયક શ્રી વિશાળનાથ સ્વામી ભગવાનની (વીસ વિહરમાન ભગવાન પૈકી) ૬૦ સે.મી.ની ભવ્ય પદ્માસનસ્થ મૂર્તિ છે. દેરાસરની ઉપરના ભાગમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રાચીન પ્રતિમાજી છે. પટણા જંકશનમાં દેરાસર છે.
પટણા જંકશન સ્ટેશને ઉતરીને ટેક્ષી, મેટાડોર, લકઝરી બસ કરી નીચે મુજબ યાત્રા કરવા જઈ શકાય છે. (૧) પાવાપુરી (૨) નાલંદા (૩) કુંડલપુર (૪) રાજગૃહી (૫) બુદ્ધગયા (૬) ગુણીયાજી (૭) કાકન્દી (૮) ક્ષત્રિયકુંડ-લછવાડ (૯) ગિરડી (૧૦) શ્રાવાલીકા (૧૧) મધુવન-સમેતશિખરજી મહાતીર્થ(૧૨)ભાગલપુર-ચંપાપુરી (૧૩) અજીમગંજ-જીયાગંજ-મહિમાપુર-કઠગોલા (૧૪) કલકત્તા.
નેપાળ પણ પટણાથી પ્લેન દ્વારા જઈ શકાય છે. ૦ પટણા-જોવાલાયક સ્થળો :
(૧) ગોળઘર-કોઠાર (૨) હરમંદિર-ગુરુ ગોવિંદસિંહ જન્મસ્થળ, પટણાસીટી (૩) લક્ષ્મીનારાયણ મંદિર (૪) સદાકત આશ્રમ-પ્રથમ રાષ્ટ્રપ્રમુખ ડો. રાજેન્દ્રપ્રસાદનું નિવાસસ્થાન-સંગ્રહસ્થાન (પ) મનાર તથા નવાબ શાહીદનો મકબરો (૬) ગંગાઘાટ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org