________________
ભારતના મુખ્ય જૈન તીર્થો મૃત્યુના શોકથી ભારે સંતપ્ત રહેવા લાગ્યું તેથી તે ચંપાનગર (ચંપાપુરી)ને રાજધાની બનાવી ત્યાં રહેવા લાગ્યા. એજ રીતે તેના પુત્ર રાજા ઉદયી પાટલીપુત્ર નામે નગર વસાવી રાજધાની બનાવી ત્યાં રહેવા લાગ્યા. રાજા ઉદયીએ પોતાની રાણી પાટલી ઉપરથી નગરનું નામ પાટલી આપ્યું હતું. પટણાસીટી અને પટણા જંકશન બે ભાગમાં વહેચાયેલું છે. પટણા ગંગા નદીના કિનારે પાઘડી પટે વસેલું છે.
રાજા ઉદયી પછી નવ નંદોએ પાટલીપુત્ર ઉપર રાજ્ય કર્યું. નવમા નંદના મંત્રી શકટાલ નામે હતા. તેમને બે કુળવાન પુત્રો હતા. એક સ્થૂલિભદ્રા બીજા શ્રીયક અને સાત ભાગ્યવાન પુત્રીઓ હતી. પુણ્યવંતો પરિવાર પામીને માતા-પિતા સુખ અનુભવતા હતા. સ્થૂલિભદ્ર રૂપ અને ગુણમાં અદ્વિતીય હતા. વીણાવાદનમાં કુશળ હતા. પિતાએ રાજમંત્રીને યોગ્ય શિક્ષણ આપ્યું હતું. એકવાર રાજ દરબારમાં સ્થૂલિભદ્રના વીણાવાદને રૂપકોશા નામની નર્તકીનું દિલ જીતી લીધું. સ્થૂલિભદ્ર રૂપકોશાને આવાસે રહેવા લાગ્યા. બાર-બાર વર્ષ સુધી સંગીત-નૃત્યમાં બન્ને એકાકાર બની ગયા. રાજા નંદને મહામંત્રી શકટાલ ઉપર વહેમ ઉત્પન્ન થયો. મંત્રી શકટાલે રાજદરબારમાં બલિદાન આપ્યું. રાજાએ શ્રીયકને મંત્રીપદ લેવા માટે આગ્રહ કર્યો ત્યારે શ્રીયકે તેના મોટા ભાઈ સ્થૂલિભદ્રને મંત્રીપદનો ભાર સોંપવા રાજાને વિનંતી કરી.
રાજાના આગ્રહથી સ્થૂલિભદ્ર રાજદરબારમાં આવ્યા. પિતાના મરણની વાત જાણી ઘણું દુઃખ થયું. રાજાએ મંત્રીપદ સ્વીકારવા આગ્રહ કર્યો. પરંતુ સ્થૂલિભદ્રનો જીવ વૈરાગ્ય તરફ વળ્યો. બીજે દિવસે સંસાર અસાર સમજીને પાટલીપુત્રમાં બિરાજમાન આચાર્ય શ્રી સંભૂતિવિજય પાસે દીક્ષા ગ્રહણ કરી જેથી શ્રીયકે મંત્રીપદ સ્વીકાર્યું.
પરંપરા અનુસાર બધા જ સાધુઓએ ચાતુર્માસ કરવા માટે વિભિન્ન જગ્યાએ જવા માટે ગુરૂદેવ પાસે અનુમતિ માંગી. મુનીશ્રી યૂલિભદ્રજીએ પણ રાજ્ય નર્તકી રૂપકોશાને ત્યાં ચતુર્માસ કરવા જવાની અનુમતિ માંગી. અને તેમને અનુમતિ મળી. સ્થૂલિભદ્રજી પાટલીપુત્રમાં આવેલ ગુલઝારબાગની પાસે આવેલ કોશાના આવાસમાં ચિત્રશાળામાં ચાતુર્માસ કરવા પધાર્યા. રૂપકોશા અત્યાત ખુશ થઈ. મુનિવર ચાતુર્માસ દરમ્યાન કોશાના હાવ-ભાવ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org