________________
૨૮૬
શ્રી પટણા તીર્થ
જન્મથી માંડી કેવળજ્ઞાન સુધી હોવાનું સૌભાગ્ય મળ્યું હોય એ સ્થાનનું વર્ણન કયા શબ્દોમાં થઈ શકે ? પાર્શ્વનાથ ભગવાને અહીં જ બળતી આગમાંથી તરફડતા નાગ અને નાગણીને બચાવી, મરણાસન્ત અવસ્થામાં નવકાર મહામંત્રનો પાઠ સંભળાવ્યો હતો; જેથી તેઓ આગળના ભવમાં ધરણેન્દ્ર અને પદ્માવતી બન્યાં, જે પ્રભુના શાસનમાં શાસનદેવ અને શાસનદેવી બન્યાં. જેમને અધિષ્ઠાયક દેવ અને અધિષ્ઠાયિકા દેવી પણ કહે છે. તેઓ આજે પણ જૈન શાસનની પ્રભાવનાના કાર્યોમાં સાક્ષાત છે. તેમના સ્મરણ માત્રથી શ્રદ્ધાળું ભકતજનોની મનોકામના પૂર્ણ થાય છે. પ્રાયઃ દરેક સાધનામાં તેમનું નામ સ્મરણ ક૨વામાં આવે છે, જેનાથી બધાં કાર્યો નિર્વિઘ્ને સુખ-શાંતિપૂર્વક પૂર્ણ થાય છે, એવા પ્રકટ પ્રભાવી શાસનદેવ અને શાસનદેવી આ પાવન ભૂમિમાં થયાં છે.
શ્રી ભદિલપુર તીર્થ (બિહાર)
શ્રી શીતલનાથ ભગવાનનાં ચાર કયાળકોની ભૂમિ
દસમા તીર્થંકર શ્રી શીતલનાથ ભગવાનના ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન ચાર કલ્યાણકો આ પાવનભૂમિમાં થયા હતા. ગયાથી ૧૬ કોસ દૂર દંતારા નામનું ગામ છે. જે પ્રાચીન ભદ્દિલપુર છે. માર્ગ જંગલથી ભરેલો ને વિષમ છે. દંતારા પાસે કુલુદા નામે પર્વત છે ત્યાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. પાસેની એક ગુફામાં સપ્તફણાવાળા શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા છે. પાસે આકાશલોચન નામનું સરોવર છે તેમાં ઘણા કમળો થાય છે. આ તીર્થનો જીર્ણોદ્ધાર કરવાની ખાસ જરૂર છે.
મન પટણા (પાટલીપુત્ર)
બિહારનું પાટનગર પટણા ગંગાનદીના કિનારે આવેલું છે. મહારાજા શ્રેણિકના મુત્યુ બાદ તેમના પુત્ર રાજા કુણિકનું (અજાતશત્રુ) હૃદય પિતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org