________________
૨૮૫
ભારતના મુખ્ય જૈન તીર્થો દીક્ષા, કેવળજ્ઞાન ચાર કલ્યાણકોની આ પવિત્રભૂમિ છે. અત્રે શિખરબંધી દેરાસર છે. જેમાં મૂળનાયક શ્રી ચન્દ્રપ્રભ સ્વામી ભગવાનની ૪૫ સે.મી.ની મૂર્તિ છે. મંદિરમાં પાષાણની-૫ અને ધાતુની-૧ મૂર્તિ છે. (૩) શ્રી સિંહપુરી તીર્થ (સારનાથ):
બનારસથી ૧૨ કિલોમીટર દૂર આવેલું છે. અગિયારમાં તીર્થકર શ્રી શ્રેયાંસનાથ ભગવાનના ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન ચાર કલ્યાણકોની પવિત્રભૂમિ છે. અત્રે શિખરબંધી દેરાસર છે. જેમાં મૂળનાયક શ્રી શ્રેયાંસનાથ ભગવાનની ૩૦ સે.મી.ની મૂર્તિ છે. મંદિરમાં પાષાણની ૪ અને ધાતુની-૨ મર્તિઓ છે. સામે સમવસરણની આકૃતિવાળું મંદિર છે તથા ચાર કલ્યાણ કોની ગોળાકાર દેરીઓ છે, જેમાં ચરણપાદુકાઓ છે, તથા ભગવાનની માતા ૧૪ સ્વપ્નો નિહાળતી હોય, મેરુપર્વત ઉપર ભગવાનને અભિષેક થતો હોય, ભગવાન અશોકવૃક્ષ નીચે દીક્ષા લઈ રહ્યા હોય એવી રચના આરસના પથ્થરમાં કરેલી છે.
અત્રે નેવું ફુટ ઊંચો અને ત્રણસો ફુટના ઘેરાવાવાળો એક વિશાલ કલાત્મક પ્રાચીન સૂપ છે, જે મહારાજા અશોકે નિર્માણ કરેલ છે. તથા ત્રણ સિંહવાળા ધર્મચક્રને ભારત સરકારે રાષ્ટ્રધ્વજમાં તથા ચલણી નોટમાં અંકિત કરીને શ્રમણ સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું છે, તે તથા પ્રાચીન મૂર્તિઓ સારનાથ
મ્યુઝિયમમાં છે. (૪) શ્રી ભેલપુર તીર્થ :
બનારસ સ્ટેશનથી ૩ કિલોમીટર દૂર બનારસ શહેરના ભેલપુર મહોલ્લામાં આવેલ છે. ત્રેવીસમાં તીર્થકર શ્રી પાર્શ્વનાથ ભગવાનના અવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન ચાર કલ્યાણકોની પાવનભૂમિ છે. અત્રે દેરાસર છે. તેમાં પાછળના ભાગમાં જૂના મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની ૬૦ સે.મી.ની ખૂબ પ્રાચીન ભવ્ય મૂર્તિ છે. પાષાણની-૭ અને ધાતુની-૫મૂર્તિઓ છે. મંદિરની પાસે તથા સામે ધર્મશાળા છે. મંદિરની બાજુમાં તથા આગળ દિગંબર મંદિરો છે.
ત્રેવીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથ ભગવાનના ચાર કલ્યાણકો-ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાનથી આ ભૂમિ પાવન બની છે. જે ભૂમિને પ્રભુના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org