SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ શ્રી વારાણસી તીર્થ હતા. અહીંના રાજા શંખે ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધી હતી. જોવાલાયક સ્થળો છ (૧) શ્રી કાશી વિશ્વનાથ મંદિર (જેનો ઘુમ્મટ સોનાનો છે) (૨) બનારસ હિંદુ યુનિવર્સિટી તથા સંસ્કૃત યુનિવર્સિટી (૩) ભારતમાતાનું મંદિર (૪) તુલસીમાનસ મંદિર (૫) માધવરાયનો ડાયરો (૬) નેપાળી મંદિર (૭) ગંગાનદીના ઘાટો, મણિકર્ણિકા ઘાટ-દશાશ્વમેઘ ઘાટ-ગંગાઘાટ (૮) કાશીનરેશનો મહેલ (૯) બિરલા મેન્શન (૧૦) લાલમંદિર મોગલસરાઈ જંકશન ઉતરીને પણ બનારસ જઈ શકાય છે. બનારસ રેલ્વે સ્ટેશન છે. બનારસ શહેરમાં કુલ નવ જૈનમંદિરો આવેલા છે. (૧) અંગ્રેજી કોઠીમાં – શ્રી પાર્શ્વનાથ ભગવાનનું (૨) સુતતોલામાં શ્રી ગોડી પાર્શ્વનાથ ભગવાનનું (૩) નયાઘાટ-શ્રી પાર્શ્વનાથ ભગવાનનું (૪) નયાઘાટ - શ્રી આદીશ્વર ભગવાનનું (૫) નયાઘાટ-શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનું (૬) નયાઘાટ-શ્રી આદીશ્વર ભગવાનનું (૭) રામઘાટ-શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું (૮) બાલુજીકા ફરસમાં-શ્રી આદીશ્વર ભગવાનનું (૯) ઠઠે૨ી બજારમાં-શ્રી કેસરીયાનાથજીનું દેરાસર. બનારસ સાડી, સેલાં ખરીદવા માટે મોટું બજાર છે. (૧) શ્રી ભદૈની તીર્થ : બનારસથી દોઢ કિલમીટરના અંતરે, ગંગા નદીના વચ્છરાજઘાટના તટ પર આવેલું છે. જેને 'જૈનઘાટ' પણ કહે છે. ભજ્જૈની મહોલ્લો છે. સાતમાં તીર્થંકર શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન ચાર કલ્યાણકોની આ પાવનભૂમિ છે. વચ્છરાજઘાટની ઉપર નદીની સપાટીથી ૨૫૦ ફુટની ઊંચાઈ એ વિશાળ ચોકની વચ્ચે શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધી ભવ્ય મંદિર છે, જેમાં મૂળનાયક શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની ૬૮ સે.મી.ની મૂર્તિ છે. તેમાં બીજી પાષાણની-૭ અને ધાતુની-૧ મૂર્તિ છે. (૨) શ્રી ચન્દ્રપુરી તીર્થ : બનારસથી ૨૩ કિલોમીટર દૂર ગંગા નદીના કિનારે ઊંચાઈ પર આવેલું છે. આઠમા તીર્થંકર શ્રી ચન્દ્રપ્રભસ્વામી ભગવાનના ચ્યવન, જન્મ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy