________________
૨૮૨
શ્રી કૌશામ્બી તીર્થ
(સુપડામાં) બાકળા લઈને વહોરાવવા માટે ઊભી હોય, અક્રમનો તપ કર્યો હોય, જે પવિત્ર સ્ત્રી હોય.
આ અભિગ્રહ પૂરો કરવા પ્રભુ વિચરતા હતા. ભકતજનો પ્રભુ આહાર વહોરતા ન હતા તેથી વ્યાકુળ હતા. સતી ચંદનબાળાનો ભાગ્યોદય થવાનો હતો. એને ધનાવહ શેઠની પત્ની મૂળાદેવીએ શંકા તથા ઈર્ષાથી કઠણ દંડ આપ્યો હતો અને ખાવા માટે બાકળા આપ્યા હતા ચંદનબાળા કોઈ મહાત્માને આહાર વહોરાવી જમવા માટે ઉપરોકત પ્રકારે ઊભી ઊભી રાહ જોઈ રહી હતી. ભાગ્યોદયથી તેણે પ્રભુને આવતાં જોયા. આનંદથી તે ફુલી ન સમાઈ અને પ્રભુની દૃષ્ટિ પણ એ અબળા પર પડી. પરંતુ અશ્રુધારા ન હોવાથી પ્રભુ પાછા વળ્યા. જેવા પ્રભુ પાછા વળ્યા ત્યાં ચંદનબાળાની આંખોમાં અશ્રુધારા વહેવા લાગી. પ્રભુએ પોતાનો અભિગ્રહ પૂર્ણ થયો સમજીને પાંચ માસને પચ્ચીસ દિવસે આહાર ગ્રહણ કર્યો. પ્રભુનો અભિગ્રહ પૂર્ણ થતાંજ દેવદુંદુભિઓ વાગવા લાગી અને ઇન્દ્રાદિ દેવોએ રત્નો અને પુષ્પોની વર્ષા કરી. ચંદનબાળાના શિર પર વાળ સાથે દેવમુકુટ ધારણ થયું અને શરીર અનેક આભૂષણોથી સજ્જ થયું.
સતી ચંદનબાળાએ પ્રભુ પાસે પાવાપુરીમાં દીક્ષા ગ્રહણ કરી અને પ્રભુની પ્રથમ શિષ્યા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું. ચંદનબાળા કેવળજ્ઞાન પામ્યા અને મોક્ષે ગયા. ચૌદમી શતાબ્દીમાં ચંદનબાળા ભગવાનને પારણું કરાવે છે તેવી મૂર્તિ કૌશામ્બીના મંદિરમાં હતી. હાલમાં નથી. આવી મૂર્તિ બનાવવી જોઈએ.
અત્રે શ્રી પદ્મપ્રભસ્વામી ભગવાનનું મંદિર છે, જેમાં મૂળનાયક શ્રી પદ્મપ્રભસ્વામી ભગવાનની ૩૦ સે.મી.ની શ્વેતવર્ણ પદ્માસનસ્થ વાળી મૂર્તિ છે તથા ધર્મશાળા છે.
દિગંમ્બર મંદિર તથા ધર્મશાળા પણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org