________________
૨૮૧
ભારતના મુખ્ય જૈન તીર્થો
અહીં મંદિર છે. જેમાં મૂળનાયક શ્રી વિમલનાથ ભગવાનની ૪૫ સે.મી. પહ્માનસ્થ શ્વેતવર્ણ પ્રતિમાજી છે તથા ધર્મશાળા છે.
દિગંબર મંદિર તથા ધર્મશાળા છે.
શી વીરાજી તીર નાની વાત
આ
કરી
અલ્હાબાદથી ૬૪ કિલોમીટર દૂર છે. કોસમ-ઈનામ અને કોસમ-ખીરાજ નામનાં બે ગામો તેજ પ્રાચીન કાળની કોશામ્બી નગરી છે. આ તીર્થનો પ્રાચીનતાનો ઈતિહાસ છઠ્ઠા તીર્થકર શ્રી પદ્મપ્રભ સ્વામી ભગવાનના સમયથી શરૂ થાય છે. પદ્મપ્રભ સ્વામી ભગવાનના ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન ચાર કલ્યાણકો આ પાવન ભૂમિમાં થયા હતા. યમુના નદીના તટ પર આ તીર્થ આવેલું છે.
ભગવાન મહાવીરના સમયમાં અહીના રાજા શતાનિક હતા. ભગવાન મહાવીર અહી અનેકવાર પધાર્યા હતા. પ્રભુનું સમવસરણ અહી રચાયું હતું રાજા શતાનિક ભગવાન મહાવીરના પરમ ભકત હતા. રાજા શતાનિક અતિસારના રોગથી મૃત્યુ પામ્યા હતા. રાણી મૃગાવતીએ પોતાના પુત્ર ઉદયનને રાજ્યભાર સોંપી પ્રભુ મહાવીર પાસે દીક્ષા ગ્રહણ કરી હતી. સાધ્વી મૃગાવતીને કેવળજ્ઞાન પણ કૌશામ્બીમાં ઉત્પન્ન થયું હતું.
શ્રી આર્યસુહસ્તિસૂરીશ્વરજી અને આર્યમહાગિરિસૂરીશ્વરજી આદિ અનેક આચાર્યગણ આ તીર્થમાં દર્શનાર્થે પધાર્યા હતા.
- કૌશામ્બી અને રાજગૃહી વચ્ચે અઢાર યોજનાનું એક મોટું વન હતું ત્યાં બલભદ્ર વગેરે પાંચસો ચોર રહેતા હતા જેમને કપિલ મુનિએ પ્રતિબોધ કર્યા હતા.
પ્રભુમહાવીરે એકવાર કઠણ અભિગ્રહ લીધો હતો કે તેઓ તેના હાથે જ આહાર લેશે, જે રાજકુમારી હોય, પણ દાસીપણું પામી હોય, જેનું માથું મૂંડાવેલું હોય, પગમાં બેડીઓ હોય, એક પગ દરવાજાની બહાર અને એક પગ દરવાજાની અંદર હોય, આંખોમાં અશ્રુધારા વહેતી હોય, છાજડીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org