________________
ભારતના મુખ્ય જૈન તીર્થો
૨૭૯ અહીંના રાજા પ્રસેનજીત હતા. તેમની બહેન સાથે મગધ સમ્રાટ શ્રેણિકે લગ્ન કર્યા હતા. એ સમયે આ નગર ઘણું વૈભવશાળી હતું. આ નગરને તે સમયે કુણાલનગરી અને ચંદ્રિકાપુરી કહેતા હતા. રાજા સંપ્રતિ તથા બીજાઓએ અહીં અનેક મંદિરો બનાવ્યા હતા.
શ્રી મહાવીર સ્વામી ભગવાન આ ભૂમિમાં અનેકવાર વિચર્યા હતા અને દસમું ચતુર્માસ કર્યું હતું. શ્રી પાર્શ્વનાથ ભગવાનના ગણધર શ્રી કેશીમુની અને પ્રભુ મહાવીરના ગણધર શ્રી ગૌતમસ્વામીનું પ્રથમ મિલન આ નગરીમાં થયું હતું પ્રભુવીરના જમાઈ (ભાણા) શ્રી જમાલી અહીંના હતા. અને અહી પ્રભુ પાસે દીક્ષા લીધી હતી ગોશાલાએ અહીં વીરપ્રભુ ઉપર તેજોવેશ્યા છોડી હતી વિહાર કરતાં ભગવાન મહાવીર શ્રાવસ્તીમાં પધાર્યા અને ત્યાં બિરાજ્યાં એ વખતે ભગવાનનો સ્વચ્છંદી આઘશિષ્ય ગોશાલક પોતાની જાતને તીર્થકર તરીકે ઓળખાવતો હતો. ભગવાને કહ્યું કે તીર્થકરની વાત તદ્દન ગલત છે જેથી ગોશાલક ક્રોધે ભરાયો અને ભગવાનને બાળી નાંખવા તેજોવેશ્યા નામની ભયંકર જાજવલ્યમાન ઉષ્ણશકિત છોડી, ભગવાનના બે શિષ્યોને ભગવાને દૂર રહેવા કહ્યું છતાં ભકિતવશ થઈ ન ખસ્સા અને ભસ્મીભૂત થઈ ગયાં. ફરીથી ભગવાન ઉપર તે જોવેશ્યા છોડી, પણ તીર્થકરો ઉપર કોઈ શકિત કામયાબ થતી ન હોવાથી તે શકિત મહાવીરદેવના શરીરને ફરતી પ્રદક્ષિણા આપી ચકરાવો મારતી પાછા વળીને ગોશાલકના શરીરમાં પ્રવેશી ગઈ. પરિણામે ગોશાલક બળીને ખાખ થઈ ગયો.
અહીં શ્રી સંભવનાથ ભગવાનનું મંદિર છે. તેમાં મૂળનાયક શ્રી સંભવનાથ ભગવાનની પ૧ ઇંચની ભવ્ય મૂર્તિ છે. જેની અંજનશલાકા તથા પ્રતિષ્ઠા સંવત : ૨૦૪૩ વૈશાખ સુદ-૬ તા.૪-૫-૮૭ના રોજ થઈ છે. અહીં ધર્મશાળા છે.
પાલીતાણા જતાં હાઈવે રોડ ઉપર બાવળા પાસે શ્રી સાવત્થીનગર-શ્રી સાવથી તીર્થ-૮૪ જિનાલય મૂળનાયક ત્રીજા તીર્થકર શ્રી સંભવનાથ ભગવાનનું વિશાલ ભવ્ય જિનાલય બની રહ્યું છે. ધર્મશાળા, ઉપાશ્રય બન્યા છે. ભોજનશાળા ચાલુ થવાની છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org