________________
૨૭૮
શ્રી શ્રાવસ્તી તીર્થ ગણધર પદ પ્રદાન, દ્વાદશાંગી રચના, જૈન ધર્મસિદ્ધાંતનિયમ-સંયમ-વ્રત-મહાવ્રત આદિનું મંગલાચરણ આ જ પવિત્ર ભૂમિમાં કર્યું હતું. આ પ્રકારે તીર્થની સ્થાપના થવાથી પ્રભુ પાસે રહેવાવાળા 'ગોમુખ' નામના યક્ષ અધિષ્ઠાયક દેવ બન્યાં અને પ્રતિચક્રા નામનાં દેવી શાસનદેવી બન્યાં, જેમને શ્રી ચક્રેશ્વરીદેવી કહે છે.
મહાભારત કાળમાં મય નામના શિલ્પીએ પાંડવોને મારવા માટે લાક્ષાગ્રહનું નિર્માણ અહીં જ કર્યું હતું.
અલ્હાબાદ રેલ્વે સ્ટેશનથી મંદિર ૩.૫ કિલોમીટર દૂર છે. ત્રિવેણી સંગમ પાસેના કિલ્લામાં વટવૃક્ષ છે જ્યાં શ્રી ઋષભદેવ ભગવાનને કેવળ જ્ઞાન થયું હતું. શ્રી ઋષભદેવ ભગવાનનું સુંદર મંદિર છે, જેમાં શ્રી ઋષભદેવ ભગવાનની ૬૦ સે.મી.ની શ્વેતવર્ણ પદ્માસનસ્થ મૂર્તિ છે. અહીંના કિલ્લામાં એક સ્તંભ છે. જે સંપ્રતિ મહારાજે નિર્માણ કરેલ છે. જેના ઉપર શિલાલેખ છે. ધર્મશાળાની સગવડ છે.
અલ્હાબાદમાં ઉતરવા માટે ગુજરાતી સમાજ છે. ૩૫૬ મુઠ્ઠીગંજ કટધર રોડ, અલ્હાબાદ-૨૧૧ ૦૦૩. જોવાલાયક સ્થળોમાં (૧) આનંદભવન શ્રી મોતીલાલ નહેરૂનો બંગલો, (૨) ખુશરૂ બાગ (૩) મ્યૂઝિયમ (૪) પ્રયાગતીર્થ (૫) અકબરનો કિલ્લો (૬) ભારદ્વાજ મંદિર (૭) અલ્હાબાદ હાઇકોર્ટ. શ્રી મોતીલાલ નહેરૂ, શ્રી જવાહ૨લાલ નહેરૂ તથા શ્રીમતી ઇન્દિરા ગાંધીના રાજકીય જીવનની શરૂઆત અલ્હાબાદથી થઈ હતી.
શ્રી શ્રાવસ્તી તીર્થ
શ્રી સંભવનાથ ભગવાનના ચાર કલ્યાણકોની ય
અયોધ્યાથી ૧૨૦ કિ.મી, ગોંડાથી ૪૦ કિ.મી. અને લખનૌથી ૨૦૦ કિ.મી. દૂર આ નગરી આવેલી છે. શ્રી ઋષભદેવ ભગવાનના સમયની આ નગરી છે, ઉત્તર કૌશલ જનપદની રાજધાનીનું આ નગર હતું. ત્રીજા તીર્થંકર શ્રી સંભવનાથ ભગવાનના ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન ચારે કલ્યાણકો આ પાવનભૂમિમાં થયા હતા. ભગવાન શ્રી મહાવીર સ્વામીના સમયમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org