SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતના મુખ્ય જૈન તીર્થો આજે પ્રયાગ હિંદુ તીર્થધામ તરીકે જાણીતું છે. બાર વર્ષે અહીં એકવાર કુંભમેળો ભરાય છે. હિંદુઓ માટે અહીં સ્નાનનો મહિમા છે. ત્રિવેણી સંગમમાં અસ્થિ પધરાવવા હિંદુઓ અલ્હાબાદ આવે છે. આ તીર્થનો ઇતિહાસ યુગાદિદેવ શ્રી આદિનાથ ભગવાનથી પ્રારંભ થાય છે. એ કોશલ જનપદની અયોધ્યા નગરીનું એક ઉપનગર હતું. જૂના સમયમાં આ સ્થળ પુરિમતાલ અને પ્રયાગ નામથી મશહુર હતું પ્રાચીન ગ્રંથોમાં આ નગરીનો ઉલ્લેખ પુરિમતાલ પાડા તરીકે પણ છે. - પ્રથમ તીર્થકર શ્રી આદીશ્વર ભગવાને અહી શકટમુખ નામના ઉદ્યાનમાં વટવૃક્ષ નીચે શુકલ ધ્યાન ધરતાં ધરતાં માહ વદ-અગિયારસના શુભ દિને ઉતારાષાઢા નક્ષત્રમાં પ્રાતઃ કેવળજ્ઞાન મેળવ્યું હતું, પ્રભુએ જે વટવૃક્ષ નીચે કેવળજ્ઞાન મેળવ્યું હતું, એને અક્ષય વટવૃક્ષ કહેવા લાગ્યા, અને એ સમયથી નગરીનું નામ પ્રયાગ પડયું. ઇન્દ્રાદિ દેવોએ કેવળજ્ઞાન કલ્યાણક ખૂબ જ ઉલ્લાસથી ઉજવી રત્નત્રયી સુંદર સમવસરણની રચના કરી. અદ્વિતીય રત્નોથી જડિત સુવર્ણ આભુષણોથી સુસજ્જિત ગજ પર આરૂઢ પ્રભુના માતૃશ્રી મરૂદેવી માતાએ તીર્થકરોના અતિશય યુકત સમવસરણ વૈભવ જોયો. આનંદના પ્રબળ પ્રભાવથી માતાની આંખોમાં છવાયેલાં જાળાં સાફ થઈ ગયા. તરત જ સમકાલમાં અપૂર્વકિરણના ક્રમથી તેઓ શપક શ્રેણીમાં આરૂઢ થયાં, ધાતિયા કર્મોનો નાશ થવાથી તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તેઓ અંતકુત કેવળી બન્યાં. એ જ વખતે તેમનું આયુષ્ય આદિ અધાતિ કર્મનો પણ નાશ થયો. તેમનો આત્મા હાથી ઉપર જ દેહ ત્યાગી મો. સિધાવ્યો. એ વખતે પ્રભુના પૌત્ર શ્રી ઋષભસેન અહીંના રાજા હતા અને ઉકત અવસર વખતે અનેક રાજાઓની સાથે દર્શન અર્થે આવ્યા અને પ્રભાવિત થઈને દીક્ષા અંગીકાર કરી અને પ્રભુના પ્રથમ ગણધર બન્યા. ચરમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામી ભગવાન અહી શકટમુખ ઉદ્યાનમાં ધ્યાનવસ્થામાં રહ્યાં હતા. બાદશાહ અકબરના સમયમાં આ નગરીનું નામ અલ્હાબાદ પડવું. - શ્રી આદીશ્વર ભગવાને પ્રથમ દેશના, ચતુર્વિધ સંઘની સ્થાપના, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy