________________
ભારતના મુખ્ય જૈન તીર્થો
૨૭૧
વર્ષીતપ-ફાગણ વદ-૮ને દિવસે ઉપવાસ શરૂ કરી, એકાંતરે પારણે બેસણું કરી, ૧૩ મહિના અને ૧૧ દિવસે એટલે કે અખાત્રીજ(અક્ષય તૃતીયા-વૈશાખ સુદ-૩)ને દિવસે પારણું કરવામાં આવે છે.
અત્રે શ્રી શાંતિનાથ ભગવાનનું ભવ્ય દેરાસર છે. તેમાં ૯૦ સે.મી.ની મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની દર્શનીય મૂર્તિ છે. એક બાજુ શ્રી અરનાથ ભગવાન તથા બીજી બાજુ શ્રી કુંથુનાથ ભગવાન છે. ત્યાંથી એક માઈલ દૂર શ્રી આદીશ્વર ભગવાનનું નાની ટેકરી ઉપર પારણાં સ્થળ છે ત્યાં શ્રી આદીશ્વર ભગવાનના પ્રાચીન પગલાં છે. શ્રી શ્રેયાંસકુમાર ભગવાનને ઇક્ષુરસથી પારણાં કરાવે છે તેની ભવ્ય મૂર્તિ તથા ચરણપાદુકા પણ છે. શ્રી શાંતિનાથ ભગવાન, શ્રી કુંથુનાથ ભગવાન તથા શ્રી અરનાથ ભગવાનની ચરણપાદુકાઓ છે.
શ્રી ભરત ચક્રવર્તીથી માંડી કુલ બાર ચક્રવર્તી થયાં જેમાં (૧) શ્રી સનતકુમાર (૨) શ્રી શાંતિનાથ (૩) શ્રી કુંથુનાથ (૪) શ્રી અરનાથ (૫) શ્રી સુભૂમ (૬) શ્રી મહાપદ્મ; આ છ ચક્રવર્તીઓએ આ પાવનભૂમિમાં જન્મ લીધો હતો, અને રાજ્ય કર્યું હતું. શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાન, શ્રી પાર્શ્વનાથ ભગવાન તથા શ્રી મહાવીરસ્વામી ભગવાન આ ભૂમિમાં વિચર્યા
હતા.
શ્રી મલ્લિનાથ ભગવાનના સમવસરણની રચના અહીં થઈ હતી અને પ્રભુએ અહીં છ રાજાઓને પ્રતિબોધ આપી જૈન ધર્મના અનુયાયી
બનાવ્યા હતા.
અહીં ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ છે.
अनपुर
દિલ્હીથી મુગલસરાઈ જતી મેઈન રેલ્વે લાઇન ઉપર ગંગા નદીના કિનારે આ શહેર આવેલું છે. કમલા ટાવરની પાછળ આવેલા મહેશ્વરી મહોલ્લામાં ઝળહળાં કરતું કાચનું સુશોભિત જૈનમંદિર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org