________________
૨૭૦
શ્રી હસ્તિનાપુર તીર્થ ચક્રવર્તીના નામ ઉપરથી ભારત'નામ પડ્યું. જ્યારે શ્રી ઋષભદેવ ભગવાનના ૨૧મા પુત્ર શ્રી હસ્તિકુમારના નામ ઉપરથી આ નગરીનું નામ હસ્તિનાપુર પડયું.
"જન્મ જરા મરણ કરી એ આ સંસાર અસાર તો કર્યા કર્મ સહુ અનુભવે એ
કોઈ ન રાખણહાર તો." કર્યા કર્મ સૌને ભોગવવા જ પડે છે, માટે નવા ખરાબ કર્મો વાણી, વર્તન અને વિચારથી ના બંધાય તેનો ખ્યાલ રાખવો જોઈએ.
પ્રથમ તીર્થંકર પરમાત્મા શ્રી ઋષભદેવ ભગવાને પૂર્વભવમાં એક એવું મોટું કર્મ બાંધ્યું હતું જે તીર્થંકરના ભવમાં ઉદયમાં આવ્યું. કર્મ કોઈને છોડતું નથી. ભોગવ્યે જ છૂટકો. તીર્થંકર પરમાત્માના આત્માને પણ ભોગવવું જ પડે છે. પાપોનો ત્યાગ તે પણ મોટો ધર્મ છે.
શ્રી અષભદેવ ભગવાન પૂર્વભવમાં પાંચસો ખડૂતોના ઉપરી હતા, ત્યારે ખેતરના ખળામાં ફરતા બળદો ધાન્ય ખાઈ જતા હતા તે જોઈ તેઓએ બળદોને મોઢે શીકળી બાંધવા કહ્યું. ખેડૂતોને શીકળી બાંધવી ફાવી નહી જેથી તેઓએ બાંધી આપી. તે વખતે બળદોએ ૩૬૫ નિસાસા નાંખ્યા. ભગવંતે આ રીતે લાભાંતરાય કર્મ બાંધ્યું. ભગવંતે ફાગણ વદ-આઠમે દીક્ષા લીધા પછી ગોચરી વહોરવા માટે એક વર્ષ, એક માસને દસ દિવસ વિચર્યા છતાં આહાર મળ્યો નહીં. ભોગાવલી કર્મ ભોગવવું પડ્યું. ભગવંત વિચરતા વિચરતા વૈશાખ સુદ-ત્રીજના દિવસે હસ્તિનાપુર પધાર્યા ત્યારે ભગવંતના પૌત્ર શ્રી શ્રેયાંસકુમારે ૧૦૮ ઘડા શેરડીના રસના (ઈશુરસના) ભકિત ભાવથી વહોરાવ્યા. ભગવંતે ૪૦૧ માં દિવસે પારણું કર્યું. પ્રભુના દર્શનથી શ્રેયાંસકુમારને જાતિ-સ્મરણ જ્ઞાન થયું. પ્રભુએ આ દિવસે પારણુ કર્યું. આ પ્રસંગ ઉપરથી વર્ષીતપની શરુઆત થઈ અને તપસ્વીઓ વર્ષીતપના પારણાં કરવા વૈશાખ સુદ-૩ અક્ષયતૃતીયાના દિવસે હસ્તિનાપુર યા પાલીતાણા જાય છે. ઉપરિયાળા તીર્થ તથા અમદાવાદમાં પણ વર્ષીતપનાં પારણાં થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org