________________
૨૬૬
આગ્રા. જૈન દેરાસરો : (૧) શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન - રોશન મહોલ્લો,
શિખરબંધી દેરાસર. (૨) શ્રી સિમંધરસ્વામી ભગવાન - રોશન મહોલ્લા સામે ગલીમાં. (૩) શ્રી શાંતિનાથ ભગવાન - નમકમંડી મહોલ્લામાં. (૪) શ્રી નેમિનાથ ભગવાન - હીંગકીમંડી મહોલ્લામાં. (૫) શ્રી સૂરપ્રભસ્વામીનું મંદિર - મોતીકટરા. (૬) શ્રી ગોડી પાર્શ્વનાથ ભગવાન - મોતીકટરા. (૭) શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન - મોતીકટરા. (૮) શ્રી આદીશ્વર ભગવાન (શ્રી કેસરીયાનાથજી) - મોતીકટરા. (૯) શ્રી સુપાર્શ્વનાથ ભગવાન - બેલનગંજ. (૧૦) શ્રી મહાવીર સ્વામી ભગવાન - દાદાવાડી, શેઠકા બાગ. (૧૧) શ્રી આદીશ્વર ભગવાન - બેલનગંજ.
રોશન મહોલ્લાથી બે માઈલ દૂર દાદાવાડીમાં જગદ્ગુરુ આચાર્યદેવ શ્રી હીરવિજયસૂરિજી મહારાજની સમાધિ છે. ૦ આગ્રા – જોવાલાયક સ્થળો :
(૧) રામબાણ (ર) સિકંદરા (૩) ઇતમાદ-દૌલા. (૪) આગ્રાનો કિલ્લો, દીવાન-એ-આમ, દીવાન-એ-ખાસ (૫) દયાળબાગમાં રાધાસ્વામી સંપ્રદાયનું ભવ્ય મંદિર (૬) તાજમહાલ -મોગલ સમ્રાટ શાહજહાંએ તેની પત્ની મુમતાઝની યાદમાં બંધાવ્યો હતો. સને ૧૬૩૧માં બાંધકામ શરૂ કર્યું હતું અને ૧૬૪૮માં કામ પૂરું થયું હતું. ૧૭ વર્ષ બાંધકામમાં થયાં. તે જમાનમાં રોજના ૨૦,૦૦૦ માણસો કામ કરતાં હતા અને બાંધકામ પાછળ રૂપિયા છ કરોડ ખર્ચ થયો હતો. વિશ્વના જોવાલાયક સ્થળોમાં તાજમહાલનું નામ છે. તાજમહાલની નીચે ભોયરામાં શાહજહાં-મુમતાઝની અસલ કબરો છે. આગ્રામાં ઊતરવા માટે શ્રી ગુજરાતી સમાજ, કચહરીઘાટ, બેલનગંજ, આગ્રા – ૨૮૨ ૦૦૪
આગ્રા પાસે આવેલ ફતેપુરસીક્રી – આગ્રાથી ૩૭ કિ.મી. દૂર છે. ફતેપુરસીક્રમાં જોવાલાયક સ્થળો–
(૧) બુલંદ દરવાજો (૨) સલીમ ચિશ્તીની દરગાહ (૩) જુમ્મા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org