SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ આગ્રા ૨૬૪ ગુજરાતી સમાજ દિલ્હી સ્ટેશનથી-૩ કિલોમીટર દૂર છે. ન્યુ દિલ્હી સ્ટેશનથી ૭ કિલોમીટર દૂર છે. ગુજરાતી સમાજમાં ઊતરવા તથા જમવાની સારી સગવડ છે. દિલ્હીના જોવાલાયક સ્થળો જોવા માટે તથા આગ્રા, હરિદ્વાર, ઋષિકેશ જોવા જવા માટે ટુરિસ્ટ બસો ગુજરાતી સમાજથી ઊપડે છે. દિલ્હીમાં ખરીદી માટે ચાંદની ચોક, કોનોટ પ્લેસ સૌથી મોટાં ખરીદકેન્દ્રો છે. દિલ્હીથી ૨૦૪ કિલોમીટર દૂર છે. યમુના નદીને કિનારે આવેલ આગ્રા શહેર તાજમહાલની ભવ્ય ઈમારતને કારણે વિશ્માં પ્રખ્યાત શહેર છે. દિલ્હી તથા નવી દિલ્હીથી આગ્રા જઇ શકાય છે આગ્રામેન્ટ અને આગ્રાફોર્ટ બે સ્ટેશન છે. આગ્રાફોર્ટ સ્ટેશનની સામે જ આગ્રાનો કિલ્લો છે તથા રોશન મહોલ્લામાંજ જૈન દેરાસર તથા ઉપાશ્રય છે જેથી આગ્રાફોર્ટ ઊતરવું. ચંપા નામની પ્રાવિકાએ છ માસના ઉપવાસની ઘોર તપશ્ચર્યા કરી હતી. તેના મુખે મોગલ સમ્રાટ અકબરે જૈનાચાર્ય શ્રી હીરવિજયસૂરિજીની વિદ્વતા વિષે સાંભળ્યું. સમ્રાટને સૂરિજીના દર્શનની તીવ્ર અભિલાષા જાગી. તરતજ બાદશાહે આચાર્યશ્રીને ફત્તેપુર સીક્રી પધારવા માટે પોતાના અમદાવાદ ખાતેના સૂબા મારફતે આમંત્રણ મોકલ્યું. એ સમયે આચાર્યશ્રી ગંધાર બિરાજતા હતા. આચાર્યશ્રી ધર્મભાવનના અનેક કાર્યો થવાની સંભવના સમજીને સંઘની અનુમતિ મેળવી પોતાના શિષ્યમંડળ સાથે વિહાર કરી ફતેપુરસીક્રી આવ્યા અને બાદશાહના અતિ આગ્રહથી સંવત : ૧૪૩૯ના જેઠ માસમાં આગ્રા પધાર્યા. રોશન મહોલ્લાના ઉપાશ્રયમાં ઉતર્યા. સમ્રાટ અકબર આચાર્યશ્રીને મળવા આ ઉપાશ્રયમાં જ આવતાં હતા. આચાર્યશ્રીના હસ્તે આગ્રામાં અનેક મંદિરોની પ્રતિષ્ઠા થઈ હતી. રાજ્યસન્માન પ્રાપ્ત શ્રેષ્ઠી શ્રી માનસિંહજીએ રોશન મહોલ્લામાં શ્રી ચિંતામણી પાર્શ્વનાથનું ભવ્ય મંદિર બનાવ્યું, જેની પ્રતિષ્ઠા આચાર્યદેવ શ્રી હીરવિજયસૂરિજીના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy