SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨પર શ્રી સમેતશિખરજી મહાતીર્થ ઉપાર્જન કરનારા સર્વ તીર્થકરોનો અતિશય એટલો પ્રબળ હોય છે કે- એ પરમ તારકોના પાંચે કલ્યાણકોના શુભપ્રસંગે અસંખ્યદેવ-દેવીઓ ઉપસ્થિત થાય છે. પ્રભુ વિચરે એ પ્રદેશમાં ૧૨૫ યોજન સુધી મારી-મરકી-ઇતિ-ભીતિ વગેરે ઉપદ્રવો શાંત થાય છે. એ તારકોના પરમ પ્રભાવથી સતત દુઃખમાં જીવન પસાર કરતા નારકીઓના જીવો પણ ક્ષણવાર સુખનો અનુભવ કરે છે. આવા ભગવાનના નામસ્મરણનો પ્રભાવ પણ અવર્ણનિય છે. ઈન્દ્ર મહારાજાએ વામામાતાને અવસ્થાપિની નિંદ્રા આપી, માતા પાસે પ્રભુનું પ્રતિબિંબ સ્થાપી પાંચ દિવ્યરૂપી વિદુર્વા પરમાત્માને મેરુપર્વત ઉપર લઈ ગયા. ત્યાં અતિ પાંડુકબલા નામની શીલાના સિંહાસન ઉપર પોતાના ખોળામાં પરમાત્માને પધરાવી ઇન્દ્ર મહારાજા બેઠા. આ સમયે બીજા બધા ઇન્દ્રો ભગવંતનો જન્મ મહોત્સવ જાણી ત્યાં આવ્યા હતા. અચ્યતેન્દ્રના આદેશથી સેવક દેવોએ લાવેલ ક્ષીર-સમુદ્રના પાણી-ઔષધી વગેરે ઉત્કૃષ્ટ સામગ્રીથી ઇન્દ્રો તથા દેવોએ પરમાત્માનો જન્માભિષેક કર્યો. છેલ્લે ઈશાનેન્દ્રના ખોળામાં પ્રભુજીને પધરાવી સૌધર્મેન્દ્રએ વૃષભના ચાર રૂપ વિક્વી પોતાના શૃંગ દ્વારા જળથી ભગવંતનો અભિષેક કર્યો. આ સમયે અન્ય દેવો વિવિધ વાજિંત્રો વગાડતા હતા, નૃત્ય કરતા હતા, છત્ર ધારણ કરતા હતા, ચામરાદિ વિંઝતા હતા. અભિષેકની સર્વવિધિ પૂર્ણ થયા બાદ સુગંધયુકત કોમળ વસ્ત્રથી પ્રભુજીના દેહને લૂંછી કિંમતી વસ્ત્રો અને અલંકારો પહેરાવ્યા. પ્રભુની સન્મુખ ધૂપ ઉખેવી, અષ્ટમંગળ આલેખી આરતી ઊતારી. ત્યાર બાદ ઈન્દ્ર મહારાજાએ પરમાત્માની ભાવપૂર્વક ભકિત-સ્તુતિ કરી અને આ રીતે જન્મ કલ્યાણક ઉજવી કૃતકૃત્યતા અનુભવી. બીજા ઈન્દ્રાદિ દેવો પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા, જ્યારે સૌધર્મેન્દ્ર પાર્શ્વનાથ પ્રભુને માતાના ઘરમાં લાવી માતાની અવસ્થાપિની નિદ્રા તથા પ્રભુનું પ્રતિબિંબ સહરી લઈ પ્રભુને માતા પાસે મૂકયાં અને ઉદ્ઘોષણા કરી કે ભગવાન તથા ભગવાનની માતાનું જે અશુભ ચિંતવશે તેનું મસ્તક આર્યમંજરી વનસ્પતિની જેમ સાત ટુકડે તૂટી જશે. - ત્યાર બાદ ૩૨ કરોડ સોનૈયાની વૃષ્ટિ કરી સૌધર્મેન્દ્ર પોતાના સ્થાને ચાલ્યા ગયા, પ્રિયંવદા નામની દાસીએ અશ્વસેન મહારાજાને પુત્રજન્મની વધામણી આપી. અશ્વસેન રાજાએ પણ એ દાસીને ખૂબ દાન આપ્યું અને પુત્ર જન્મનો મહામહોત્સવ શરૂ કર્યો. બારમે દિવસે સ્વજનાદિવર્ગનો ભોજનાદિથી સત્કાર કરી પરમાત્માનું પાર્શ્વકુમાર' એવું નામ પાડ્યું. ઈન્દ્ર અંગૂઠામાં સ્થાપન કરેલ અમૃતનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy