________________
૨૪૮
શ્રી સમ્મેતશિખરજી મહાતીર્થ (છટ્ઠ) કરી સમોવસરણમાં પર્યંકાસને આસો વદ-અમાસની રાતે છેલ્લા પહોરે સર્વાર્થસિદ્ધ મુહર્તમાં પાવાપુરીમાં મોક્ષે ગયા. આ ટૂંક સંવત ૧૯૪૫માં રાય ધનપતસિંહ બહાદુરે યાત્રિકોના દર્શનાર્થે બનાવી છે. ભગવાન શ્રી મહાવીરસ્વામી અહીં મોક્ષે ગયા નથી પરંતુ સંભવ છે કે મુનિપણામાં (છદ્મસ્થાવસ્થામાં) અહીં પધાર્યા હોય કેમ કે સમ્મેતશિખરની તળેટી મધુવન પાસે જામ્બિક ગામની પાસેની જુવાલિકા નદીના (બ્રાકર નદીના) કિનારે શામજીના ખેતરમાં સાલ નામના વૃક્ષની નીચે વૈશાખ સુદ ૧૦ની સાંજે ઉત્કટીકાસન મુદ્રામાં કેવળજ્ઞાન પામ્યા છે. એટલે આ તીર્થમાં તેઓના ચરણસ્પર્શથયા છે. હાલમાં અહીંદેરીમાં શ્રી મહાવીરસ્વામી ભગવાનની ચરણપાદુકા છે.
(૨૭) સત્યાવીસમી શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની ક
સત્યાવીસમી ટક સાતમા તીર્થંકર શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની ટૂક આવે છે જે શ્રી પ્રભાસ ટૂક નામે ઓળખાય છે. પૂર્વે અહીં સાતમા તીર્થંકર શ્રી સુપાર્શ્વનાથ ભગવાન શ્રી સમ્મેતશિખરજીની આ ટૂંક ઉપર ૫૦૦ મુનિવરો સાથે એક મહિનાના ઉપવાસ કરી કાઉસગ્ગ મુદ્રામાં મહા વદ-૭ના દિવસે બપોર પહેલા મોક્ષે ગયા હતા. રાજા ઉદ્યોતે આ તીર્થના સમસ્ત જિનમંદિરોનો છઠ્ઠો ઉદ્ધાર કરાવ્યો અને શ્રી પ્રભાસ ટૂંક ઉપર શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનો નવો ચૌમુખ જિનપ્રાસાદ કરાવ્યો. આ ટૂક ઉપર કુલ ૪૯ કોડાકોડી, ૮૪ કરોડ, ૭૨ લાખ, ૭ હજાર મુનિવરો મોક્ષે ગયા છે. હાલમાં અહીં દેરીમાં શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની શ્યામ ચરણપાદુકા છે.
Jain Education International
(૨૮) અઠ્યાવીસમી
શ્રી વિમલનાથ ભગવાનની ક
અઠ્યાવીસમી ટૂંક તેરમા તીર્થંકર શ્રી વિમલનાથ ભગવાનની ટૂંક આવે છે જે શ્રી નિર્મલગિરિ ટૂકના નામે ઓળખાય છે. પૂર્વે અહીં તેરમા તીર્થંકર શ્રી વિમલનાથ ભગવાન શ્રી સમ્મેતશિખરજીની આ ટૂંક ઉપર છ હજાર મુનિવરો સાથે એક મહિનાના ઉપવાસ કરી કાઉસગ્ગ મુદ્રામાં જેઠ વદ-૭ની મધરાત પહેલાં મોક્ષે
For Private & Personal Use Only
www.jainelibrary.org