________________
૨૪૪
શ્રી સમેતશિખરજી મહાતીર્થ શ્રી શામળિયા પાર્શ્વનાથ ભગવાનનું ભવ્ય મંદિર. જેની ત્રણે બાજુ વનરાજી છે, જ્યારે એક બાજુથી ઈસરી તરફનો રસ્તો દેખાય છે. ગિરિરાજ પરનાં દર્શનીય સ્થાનોમાં જળનાં કુંડ માત્ર આ સ્થાનની પાસે છે તેથી તેને જળમંદિર કહેવામાં આવે છે. આ મંદિરમાં મૂળનાયક શ્રી શામળિયા પાર્શ્વનાથ ભગવાન છે. ગિરિરાજની ૩૦ ટ્રકે ચરણપાદુકાઓ છે. જ્યારે તીર્થંકર પરમાત્માના દર્શન અહીં જળમંદિરમાં જ થાય છે.
આ ભવ્ય મંદિર જગતશેઠ ખુશાલચંદે સંવત ૧૮૨૫માં બંધાવેલું છે. તે સમયે આ પ્રદેશમાં રેલવેગાડી ન હતી. એટલે મંદિરનાં બાંધકામને લગતો સર્વ સામાન પ્રથમ મધુવનમાં એકઠો કરવામાં આવતો અને ત્યાંથી હાથી પર લાદીને ઉપર ચઢાવવામા આવેલો. આ રીતે મંદિર બાંધતાં કુલ ખર્ચ રૂા.૯,૩૬,૦૦૦નો થયો હતો. જે આજના હિસાબે લગભગ રૂપિયા દોઢથી બે કરોડનો ખર્ચ થાય.
જગત શેઠ ખુશાલચંદે આ ઘનવ્યય પોતાની પૂરતી આર્થિક સ્થિતિ ન હોવા છતાં માત્ર ભકિતથી પ્રેરાઈ ને કર્યો હતો. એટલે તેમને જેટલો ઘન્યવાદ આપીએ 'તેટલો ઓછો. આ તીર્થની વર્તમાન આબાદી જગતશેઠ ખુશાલચંદને જ આભારી છે.
મંદિરનો રંગમંડપ સુંદર છે. ૫૦૦ માણસો બેસી શકે તેવો વિશાળ ચોક છે. અત્રે બે ધર્મશાળા છે. ભાતુ વાપરવાની સગવડ છે. આગલા દિવસે પેઢી પર સૂચના આપવાથી ચા તથા નાસ્તાની સગવડ ઉપર મળી રહે છે. પાણીના બે કુંડ, બગીચો તથા હાવાની સગવડ છે. ઉપવાસ કરી ગિરિરાજની યાત્રા કરવી જોઈએ. જેથી તીર્થની આશાતના ના થાય. દેરાસરમાં
(૧) માય ગભારામાં (૧) શ્રી સંભવનાથ ભગવાન, (૨) મૂળનાયક શ્રી શામળિયા પાર્શ્વનાથ ભગવાનની ૯૨ સે.મી. ની પ્રતિમાજી. (૩) અભિનંદન સ્વામી ભગવાન.
() જમણી બાજુના ગભાણમાં (૧) શ્રી પાર્શ્વનાથ ભગવાન (૨) શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાન (૩) શ્રી પાર્શ્વનાથ ભગવાન.
() ડાબી બાજુના ગભારામાં (૧) શ્રી પાર્શ્વનાથ ભગવાન (૨) શ્રી પદ્મપ્રભુસ્વામી ભગવાન (૩) શ્રી ઋષભદેવ ભગવાન. (૪) રંગમંડપ - શ્રી અજીતનાથ ભગવાન, શ્રી સંભવનાથ ભગવાન, શ્રી અભિનંદન સ્વામી ભગવાન. રંગમંડપ - શ્રી સુમતિનાથ ભગવાન, શ્રી પદ્મપ્રભસ્વામી ભગવાન શ્રી સુપાર્શ્વનાથ
: ભગવાન. રંગમંડપ - શ્રીચંદ્રપ્રભસ્વામી ભગવાન શ્રીસુવિધિનાથ ભગવાન શ્રી શીતલનાથ
ભગવાન. રંગમંડપ - શ્રી શ્રેયાંસનાથ ભગવાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org