________________
૨૩૯
ભારતના મુખ્ય જૈન તીર્થો
. (૧૦) દશમી શ્રી પદ્મપ્રભ સ્વામી ભગવાનની ટક
દશમી ટકઃ છઠા તીર્થકર શ્રી પદ્મપ્રભસ્વામી ભગવાનની ટૂક આવે છે જે શ્રી મોહનગિરિ ટૂક નામે ઓળખાય છે. પૂર્વે અહીં છક્કા તીર્થકર શ્રી પદ્મપ્રભ શ્રી સમેતશિખરજીની આ ટૂક ઉપર ૩૦૮ મુનિવરો સાથે એક મહીનાના ઉપવાસ કરી કાઉસગ્ગ મુદ્રામાં કારતક વદ-૧૧ના દિવસે બપોર પછી મોક્ષે ગયા. બંગાળના પ્રભાકર નગરના સુપ્રભરાજાએ આ તીર્થના સમસ્ત જિનમંદિરોનો પાંચમો ઉદ્ધાર કરાવ્યો, અને આ ટૂંક ઉપર શ્રી પદ્મપ્રભસ્વામી નો ચૌમુખ જિનપ્રાસાદ બનાવ્યો. આ ટૂક ઉપર કુલ ૯૯ કરોડ, ૮૭ લાખ, ૪૩ હજાર અને ૭૨૭ મુનિવરો મોક્ષે ગયા
હાલમાં અહીં શ્રી પદ્મપ્રભસ્વામી ભગવાનની શ્યામ ચરણ પાદુકા છે.
(૧૧) અગિયારમી શ્રી મુનિવ્રતસ્વામીની ટક
:
:
ક
:
:
અગિયારમી વીસમા તીર્થકર શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાનની ટૂક આવે છે. જે શ્રી નિર્જરગિરિ ટૂકના નામે ઓળખાય છે. પૂર્વે અહીં વીસમા તીર્થકર શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાન શ્રી સમેતશિખરજીની આ ટૂક ઉપર એક હજાર મુનિવરો સાથે એક મહિનાના ઉપવાસ કરી કાઉસગ્ગ મુદ્રામાં વૈશાખ વદ-૯ની રાત્રે શરૂમાં મોક્ષે ગયા છે. ત્યારબાદ રત્નપુરી નગરીના રાજા સોમદેવે આ તીર્થના સમસ્ત જિનમંદિરોનો અઢારમો ઉદ્ધાર કરાવ્યો, અને આ ટૂક ઉપર શ્રી મુનિસુવ્રતસ્વામીનો નવો ચૌમુખ જિનપ્રાસાદ બનાવ્યો. આ ટૂક ઉપર કુલ ૯૯ કોડાકોડી, ૯૭ કરોડ, ૯ લાખ અને ૯૯૯ મુનિવરો મોક્ષે ગયા છે. હાલમાં અહીં નાની દેરીમાં શ્રી મુનિસુવ્રતસ્વામીની શ્યામ ચરણપાદુકા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org