________________
ભારતના મુખ્ય જૈન તીર્થો
(૬) છઠ્ઠી
શ્રી અરનાથ ભગવાનની ટક
છઠ્ઠી ટૂક ઃ અઢારમા તીર્થંકર શ્રી અરનાથ ભગવાનની ટૂંક આવે છે. જે શ્રી નાટિકગિરિ ટૂંકના નામે ઓળખાય છે. પૂર્વે અહીં અઢારમા તીર્થંકર શ્રી અરનાથ ભગવાન શ્રી સમ્મેતશિખરજીની આ ટૂંક ઉપર એક હજાર મુનિવરો સાથે એક મહીનાના ઉપવાસ કરી કાઉસગ્ગ મુદ્રામાં માગશર સુદ-૧૦ની મધરાત પછી મોક્ષે ગયા તથા ભદ્રપુર નગરના રાજા આનંદસેને પાસેની પહાડી ઉપરના અધિષ્ઠાયક શ્રી ગરુડયક્ષની પ્રેરણાથી શાંતિનાથ ભગવાનનો બાવન દેવકુલિકાવાળો પ્રાસાદ કરાવ્યો તથા આ તીર્થના સમસ્ત જિન મંદિરોનો સોળમો ઉદ્ધાર કરાવ્યો અને આ ટૂંક ઉપર શ્રી અરનાથ ભગવાનનો નવો ચૌમુખ જિનપ્રાસાદ કરાવ્યો. આ ટૂક ઉપર કુલ ૯૯ કરોડ ૯૯ લાખ, ૯૯ હજાર અને ૯૯૯ મુનિવરો મોક્ષે ગયા છે. હાલમાં અહીં દેરીમાં શ્રી અરનાથ ભગવાનની શ્યામ ચરણપાદુકા છે.
Jain Education International
(૭) સાતમી
શ્રી મલ્લિનાથ ભગવાનની ટૂંક
૨૩૭
સાતમી ટૂંક : ઓગણીસમા તીર્થંકર શ્રી મલ્લિનાથ ભગવાનની ટૂંક આવે છે. જે શ્રી સબલગિરિ ટૂંકના નામે ઓળખાય છે. પૂર્વે અહીં ઓગણીસમા તીર્થંકર શ્રી મલ્લિનાથ ભગવાન શ્રી સમ્મેતશિખરજીની આ ટૂંક ઉપર ૫૦૦ મુનિવરો સાથે એક મહીનાના ઉપવાસ કરી કાઉસગ્ગ મુદ્રામાં ફાગણ સુદ-૧૨ની રાતે મોક્ષે ગયા. ત્યારબાદ કલિંગ દેશના શ્રીપુર નગરના રાજા અમરદેવે એક મુનિવરના ઉપદેશથી આ તીર્થના સમસ્ત જિનમંદિરોનો સત્તરમો ઉદ્ધાર કરાવ્યો, અને આ ટૂક ઉપર શ્રી મલ્લિનાથ ભગવાનનો નવો ચૌમુખ જિનપ્રાસાદ બનાવ્યો. આ ટૂક ઉ૫૨ ૯૬ કરોડ મુનિવરો મોક્ષે ગયા છે. હાલમાં અહીં નાની દેરીમાં શ્રી મલ્લિનાથ ભગવાનની શ્યામ ચરણપાદુકા છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org