SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ શ્રી સમેતશિખરજી મહાતીર્થ શ્વેતાંબર સંઘે યાત્રિકો માટે દર્શનાર્થે બનાવી છે. સંવત ૨૦૧૭માં પૂજ્ય સાધ્વી શ્રી રંજનશ્રીજી મહારાજની પ્રેરણાથી આ ટૂકનો જીર્ણોદ્ધાર થયો હતો. આ ટૂકમાં શાશ્વત જિન શ્રી ઋષભાનની શ્યામ ચરણપાદુકા છે. () ચોથી શ્રી ચંદ્રાનન શાયત જિનની ર ચોથી ટંકઃ શ્રી ચંદ્રાનન શાશ્વત જિનની ટૂક આવે છે. આ ટૂક શ્રી જૈન શ્વેતાંબર સંઘે યાત્રિકો માટે દર્શનાર્થે બનાવી છે. સંવત ૨૦૧૭માં પૂજ્ય સાધ્વીજી શ્રી રંજનશ્રીજી મહારાજની પ્રેરણાથી આ ટૂકનો જીર્ણોદ્ધાર થયો હતો. આ ટૂકમાં શાશ્વત જિન શ્રી ચંદ્રાનની શ્વેત ચરણપાદુકા છે. શ્રી નમિનાથ ભગવાનની પાંચમી ટકઃ એકવીસમા તીર્થકર શ્રી નેમિનાથ ભગવાનની ટૂક આવે છે. જે શ્રી મિત્રધરટૂકના નામે ઓળખાય છે. પૂર્વે અહીં એકવીસમા તીર્થકર શ્રી નેમિનાથ ભગવાન શ્રી સમેતશિખરજીની આ ટૂક ઉપરએક હજાર મુનિવરો સાથે એક મહિનાના ઉપવાસ કરી પદ્માસને બેસી કાઉસગ્ગ મુદ્રામાં ચૈત્ર વદ-૧૦ની મધરાત પછી મોક્ષે ગયા છે. ત્યારબાદ શ્રીપુર નગરના રાજા મેધદતે આ તીર્થના સમસ્ત જિનમંદિરોનો ઓગણીસમો ઉદ્ધાર કરાવ્યો, અને આ ટૂંક ઉપર શ્રી નમિનાથ ભગવાનનો નવો ચૌમુખ જિનપ્રાસાદ બનાવ્યો. - આ ટૂક ઉપર કુલ ૧ કોડાકોડી, ૪૫ લાખ, ૪૯ હજાર, ૯૦૦મુનિવરો મોક્ષ ગયા છે. હાલમાં અહીં નાની દેરીમાં શ્રી નમિનાથ ભગવાનની શ્યામ ચરણપાદુકા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy