________________
ભારતના મુખ્ય જૈન તીર્થો
૨૩પ શ્રી સમેતશિખરજી ગિરિરાજ ચઢતાં પ્રથમ શ્રી ગૌતમસ્વામીની ટૂક આવે છે. અહીં ચોવીસ તીર્થકરો તથા દશ ગણધરોની ચરણપાદુકા છે. શ્રી ગૌતમસ્વામીની શ્યામવર્ણચરણ પાદુકા છે. શ્રી ગૌતમસ્વામી એટલે ચરમ તીર્થકર શ્રી મહાવીરસ્વામી ભગવાનના પ્રથમ ગણધર. તેઓ લબ્ધિના ભંડાર હતા. તેમના અંગૂઠે અમૃત વસતું હતું. તેમનું સ્મરણ માત્ર પણ મનોવાંચ્છિત વસ્તુની સિદ્ધિને કરનારૂં નીવડતું હતું. તેઓ રાજગૃહીના પાંચમા પહાડે મોક્ષે ગયા છે. આ ટૂક અત્રે યાત્રિકોના દર્શનાર્થે બનાવવામાં આવી છે. સંવત ૨૦૧૭માં પૂજ્ય સાધ્વી શ્રી રંજનશ્રીજી મહારાજની પ્રેરણાથી આ ટૂકનો જીર્ણોદ્ધાર થયો હતો. આ ટૂક ઉપરથી શ્રી સમેતશિખરજી ઉપર આવેલ સર્વે ટૂકોના દર્શન થાય છે. જમણા હાથે શ્રી પાર્શ્વનાથ ભગવાનની ટૂક છે. જ્યારે ડાબા હાથે શ્રી ચંદ્રપ્રભરવામીની ટૂક છે. સામી બાજુ નીચે ઉતરતાં શ્રી જલમંદિર આવે છે.
(ર) બીજી શ્રી કુંથુનાથ ભગવાનની ટક
બીજી ક સત્તરમા તીર્થકર શ્રી કુંથુનાથ ભગવાનની ટૂક આવે છે. જે શ્રી જ્ઞાનધરગિરિ ટૂકના નામે ઓળખાય છે. પૂર્વે અહીં સત્તરમાં તીર્થકર શ્રી કુંથુનાથ ભગવાન શ્રી સમેતશિખરજીની આ ટૂક ઉપર એક હજાર મુનિવરો સાથે એક મહિનાના ઉપવાસ કરી કાઉસગ્ગ મુદ્રામાં ચૈત્ર વદ-૧ની શરૂની રાત્રે મોક્ષે ગયા હતા. ત્યારબાદના વત્સ દેશના શાલિભદ્ર નગરના રાજા દેવધરે આ તીર્થના સમસ્ત જિનમંદિરોનો પંદરમો ઉદ્ધાર કરાવ્યો, અને આ ટૂક ઉપર શ્રી કુંથુનાથ ભગવાનનો નવો ચૌમુખ જિનપ્રાસાદ બનાવ્યો. આ ટૂંક ઉપર કુલ ૯૬ કોડાકોડી, ૯૬ કરોડ, ૩૨ લાખ ૯૬ હજાર અને ૭૪૬ મુનિવરો મોક્ષે ગયા છે. હાલમાં અહીં નાની દેરીમાં શ્રી કુંથુનાથ ભગવાનની શ્યામવર્ણી ચરણપાદુકા છે.
. (૩) ત્રીજી
- શ્રી રાષભાનન શાકાત જિલની ટક
ત્રીજી ટુક: શ્રી ઋષભાનન શાશ્વત જિનની ટૂક આવે છે. જે શ્રી જૈન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org