________________
ભગવાન શ્રી ઋષભદેવ
૭
ઝંઝાવાત લાવતો, તેમને માટે યુગલિકમાંથી કોઈ એકાકી ચિરવિદાય એ કલ્પનાતીત ઘટના હતી, પરંતુ કાળના પરિબળને સૌએ સ્વીકારવું જ પડ્યું.
ત્યાં તો અચાનક એક ઘટના ઘટી. ઋષભદેવના રાજ્યાભિષેક સમયે આવેલી નિલાંજના સુનંદાના પરિચયથી મુગ્ધ થઈને રોકાઈ ગઈ હતી. નૃત્ય નિષ્ણાત નીલાંજના સુંદરીને એ કળા શીખવતી હતી. સુનંદાના વિયોગે ક્ષોભ પામેલી નીલાંજનાએ પણ નૃત્ય સમયે પોતાની જીવનલીલા સદા માટે સમેટી લીધી. નીલાંજના સુનંદાની સખી હતી, પરંતુ ઋષભદેવ પણ તેના નૃત્ય ઉપર મુગ્ધ હતા.
પૃથ્વીનાથ હજી માનવધર્મમાં હતા. ત્યાગમાર્ગના ભાવો જાગ્યા ન હતા, ત્યાં આવાં બે પ્રિયપાત્રના વિયોગે તેઓ જાગૃત થઈ ગયા. બન્નેની શિબીકાની પાછળ મંદગતિથી ચાલતા તેમનાં નયનો સજળ બની ગયા. રાજા પ્રજા પરિવાર સૌ શોકમગ્ન હૃદયે ક્ષીર સમુદ્રને કિનારે પહોંચ્યા.
પૃથ્વીનાથે સ્વહસ્તે સુનંદાના પાર્થિવદેહને જળમાં તરતો મૂકયો. પછી બાહુબલિએ નીલાંજનાના દેહને જળમાં વહેતો મૂકયો. ક્ષીર સમુદ્રના તરંગોએ પોતાના સ્નેહીજનો હોય તેમ બન્નેના દેહને પોતાના પેટાળમાં સમાવી દીધા,
હતપ્રભ થયેલા સૌ સ્નેહીઓથી વાતાવરણ ગમગીન હતું. આખરે પૃથ્વીનાથે સૌને સમજાવ્યા કે માનવીને મૃત્યુના નિયમથી બચાવવાનો કોઈ માર્ગ નથી, છે તો માત્ર મુકિત છે.
પૃથ્વીનાથના જીવનમાં એ પ્રસંગે ભારે ઉલ્કાપાત મચાવ્યો. રાજપ્રસાદના આવાસમાં સૌ સ્વજનો અને અગત્યના નાગરિકો ઉપસ્થિત થયા હતા. પૃથ્વીનાથનું બધું નૂર જાણે હણાઈ ગયું હતું. મુખ પર ત્યારે ઉદાસીનતા છવાઈ હતી. તેમણે મૌન છોડ્યું અને જાહેર કર્યુ કે,
'ભરત' હવે આ શાસનનો સ્વામી તું છે. હું હવે સંસારનો ત્યાગ કરીશ.
ભરત સહિત સર્વ સભા સ્તબ્ધ થઈ ગઈ. ભરતે કહ્યું, 'પિતાજી' મારા પર સિંહાસનનો ભાર ન મૂકો, મને તમારા ચરણમાં સુખેથી જીવવા દો, આપના વિના આ પ્રજા અને નગરી શૂન્ય થશે. આપની છત્રછાયામાં અમે સર્વ કાર્ય પૂર્ણ કરશું, બાહુબલિએ તેમાં સુર પુરાવ્યો.
પૃથ્વીનાથે કહ્યું 'હે વત્સ ! તમે બન્ને એ મૃત્યુની અકળ કળા જોઈને ! ત્યારથી મારા ચિત્તમાં આ સંસારના ક્ષણિક સુખો, અરે, પૂરો સંસાર દુઃખમય લાગે છે. હવે આ સંસારમાં હું ક્ષણ માત્ર રહી શકું તેમ નથી ! સભાની ની૨વ શાંતિ વચ્ચે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org