SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ શ્રી સમ્મેતશિખરજી મહાતીર્થ (૩) સમી૨ચંદ (૪) સુગાલચંદ (સુખલાલ) એમ ચાર પુત્રો હતા. જેસલમેરમાં પણ તેઓની પેઢી હતી. જગતશેઠ મહેતાબરાયની ભાવના હતી કે સમ્મેતશિખરજી મહાતીર્થનો મોટો ઉદ્ધાર કરવો. મોટી પ્રતિષ્ઠા કરાવવી. એવામાં તપાગચ્છના પં. દેવવિજય ગણિ સમ્મેતશિખરજી તીર્થની યાત્રાએ ત્યાં પધાર્યા. તેમના ઉપદેશથી જગતશેઠે આ મહાતીર્થનો મોટો ઉદ્ધાર કરવાનો સંકલ્પ કર્યો. પોતાના પુત્રો તથા પરિવારને ત્યાં બોલાવ્યા. સૌની સંમતિ તથા સહકારથી મોટો ઉદ્ધાર કરવા તથા મધુવનમાં નવા જિનાલયો બનાવવા નિર્ણય કર્યો. જિર્ણોદ્ધારનું કાર્ય શેઠના પુત્રો ખુશાલચંદ તથા સુગાલચંદે ઉપાડી લીધું. દરમિયાન જગતશેઠ શ્રી મહેતાબરાયનો દેહાન્ત થઈ ગયો. વિ. સં. ૧૮૨૨માં બાદશાહ આલમે તેમના જ્યેષ્ઠપુત્ર શ્રી ખુશાલચંદને જગતશેઠની પદવીથી વિભૂષિત કર્યા. શેઠ ખુશાલચંદ મુર્શિદાબાદથી હાથી ઉપર બેસીને સમ્મેતશિખરજીની યાત્રાએ અવારનવાર આવતા હતા. ઉપરના મંદિરો સાવ જીર્ણ થઈ ગયા હતા. કયા તીર્થંકર પરમાત્મા કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા છે તેની ખબર પડતી નહોતી. આથી તેઓએ પૂજ્ય દેવવિજયગણિને વિનંતી કરી અને ઉકેલ પૂછયો. પૂજ્ય દેવવિજયગણિના બતાવ્યા પ્રમાણે જગતશેઠ ખુશાલચંદે અઠ્ઠમનું તપ કર્યુ અને પદમાવતી દેવીના જાપ કર્યા. દેવીએ તેમને સ્વપ્નમાં જણાવ્યું કે પહાડ ઉપર જ્યાં જ્યાં કેશરનો સાથિયો બન્યો હોય ત્યાં ત્યાં તીર્થંકરોનું મૂળ નિર્વાણસ્થાન સમજવું. અને તે જ સ્થાનોમાં કુદરતી રીતે થયેલા કેશરના સાથીયાની સંખ્યા જે પ્રમાણે હોય તે સંખ્યાના આંક પ્રમાણેના તીર્થંકરોનું તે નિર્વાણ સ્થાન જાણવું. આ રીતે પદ્માવતી દેવીની સહાયથી જગતશેઠ ખુશાલચંદને વીશ તીર્થંકર પરમાત્માઓની નિર્વાણભૂમિની તથા કઈ જગ્યાએ કયા પરમાત્માની નિર્વાણભૂમિ છે તેની જાણકારી થઈ અને તે મુજબ ગિરિરાજ ઉપર વીસ તીર્થંકર પરમાત્માઓની ચરણ પાદુકાઓની દેરીઓ તથા જલમંદિર નામનો મોટો જિનપ્રાસાદ બનાવ્યો તથા મધુવન તળેટીમાં કોઠી, ધર્મશાળા, શ્રી ભોમિયાદેવનું મંદિર તથા શ્રી શામળિયાજી પાર્શ્વનાથ વિગેરે સાત મંદિરો બનાવ્યા. જગતશેઠ ખુશાલચંદે તપાગચ્છના આચાર્ય ભટ્ટારક વિજય ધર્મસૂરિના વરદ્ હસ્તે મોટો જિર્ણોદ્ધાર કરાવી સંવત ૧૮૨૫ મહા સુદ ૫ તથા સંવત ૧૮૦૩થી ૧૮૪૧ના વચ્ચે પ્રતિષ્ઠા કરાવી. ત્યારબાદ તીર્થનો મહિમા ખૂબ વધી ગયો. જિન પ્રતિમાઓ તથા ચરણ પાદુકાઓ ઉપર પૂજ્ય વિજયધર્મસૂરિ તથા શેઠ ખુશાલચંદ તથા શેઠ સુગાલચંદના નામો છે. શેઠ ખુશાલચંદે વીસતીર્થંકરોની નિર્વાણ ભૂમિઓના ચોક્કસ સ્થાનોની ગૂંચ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy