SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ શ્રી સમ્મેતશિખરજી મહાતીર્થ જ્ઞાનકીર્તિજી રચિત 'યશોધરરચિત'માં છે. સંવત ૧૬૬૪ માં પૂજ્ય પંન્યાસજી જયવિજય નામના મુનિ પણ અહીં સંઘ લઈને આવ્યા હતા તેમણે પોતાની તીર્થમાળા''માં ત્યાંના લોકો, માર્ગમાં આવતી ઔષધીય ભંડાર સમી વનસ્પતિ, મૂળિયા ને વિવિધ વૃક્ષો, જંગલી પશુઓ, પંખીઓ વગેરેનું વર્ણન કર્યુ છે. તેઓ પહાડની તળેટીમાં પાલગંજ ગામ આવ્યા અને ત્યાંના રાજાને સમ્મેતશિખરજીની યાત્રા કરાવવા વિનંતી કરી. રાજા પોતે સંઘ સાથે સમ્મેતશિખર પર્વત ઉપર આવ્યા અને સંઘને સાથે રહી યાત્રા કરાવી. પાલગંજથી સમ્મેતશિખરજી તળેટી સાત કોસ (૧૪ માઈલ) દૂર થાય છે. સંવત ઃ ૧૬૭૦માં આગ્રાથી શેઠ કુંવરપાલ અને સોનપાલ લોઢાએ સંઘ સાથે શ્રીસમ્મેતશિખરજીની યાત્રા કરી હતી અને અહીંના મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો છે. પૂજ્ય પંન્યાસજી શ્રી સૌભાગ્યવિજયજીએ ભારતના ચારે દિશાનાં જૈન તીર્થોની યાત્રા કરી. સંવત ૧૭૫૦માં તીર્થમાળા રચી છે. તેમાં તેઓ તળેટીમાં આવેલા રઘુનાથપુરથી ત્યાંના રાજાને સાથે રાખી સમ્મેતશિખરજી પહાડ પર ચડયા હતા. તેમણે સમ્મેતશિખરજીનું કવિત્વભર્યું વર્ણન કર્યું છે. તેમાં તેમણે ખાસ નોંધપાત્ર હકીકત જણાવી છે કે આ પર્વત જ હાથીઓની ઉત્પત્તિનું સ્થાન છે. એમ માનવામાં આવે છે. અઢારમાં સૈકામાં અહીં સંઘ સાથે આવેલા પૂજ્ય પંન્યાસજી શ્રી વિજયસાગર મુનિએ પોતાની તીર્થમાળામાં અહીંના લોકો, પહાડ પર થતી ઔષધીય વનસ્પતિ, વૃક્ષો, જંગલી પશુઓ વિગેરેનું વર્ણન કર્યુ છે. તેઓ પણ પાલગંજ તળેટીથી પહાડ ઉપર ત્યાંના રાજાને સાથે લઈને ચડયા હતા ને ભાવથી ભગવંતોની ચરણપાદુકાઓની યાત્રા કરી હતી. શ્રી સમ્મેતશિખરજી તીર્થ માટે મેળવેલાં ફરમાનો-હકો (૧) સમ્રાટ અકબરે વિ. સંવત ૧૬૪૯માં જગદ્ગુરૂ આ. વિજયહીરસૂરિજીને સમ્મેતશિખરજીનો પહાડ ભેટ આપ્યો તેનું ફરમાન – જૈનાચાર્ય હીરવિજયસૂરિજી તથા તેમના શિષ્યો જે પવિત્ર મનવાળા સાધુપુરુષો છે. તેઓના દર્શનથી મને ઘણો આનંદ થયો છે. તેઓની માગણી છે કે અમારાં તીર્થ સિદ્ધાચલજી, ગિરનારજી, તારંગાજી, કેસરીયાજી, આબુજી, રાજગૃહીના પાંચ પહાડો, સમ્મેતશિખરજી વગેરે શ્વેતામ્બર તીર્થસ્થાનો છે. તેમાં તથા તેની આસપાસની ભૂમિમાં કોઈ જાતની હિંસા થાય નહીં એવો હુકમ કરવો જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy