SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૨૨૧ ધરાવે છે. તેનું દર્શન અતિશય રમ્ય છે. કારણ કે તેની વનરાજી ઉપરથી નીચે સુધી છવાયેલી છે. આખો ગિરિરાજ જાણે નીલમનો ટુકડો છે. ઔષધિઓના ભંડાર સમી વનરાજી છે. આ ગિરિરાજના ઉદરમાં મૂલ્યવાન ધાતુઓ તથા રાસાયણિક પદાર્થો છુપાયેલા છે. આ તીર્થનો પુરાકાલીન ઇતિહાસ અંધકારમાં છે. મળતો નથી. ભગવાન મહાવીરસ્વામી પછીના ૫૦૦ વર્ષનો મધ્યકાલીન ઇતિહાસ પણ જાણવા મળતો નથી. લગભગ બીજા સૈકામાં થયેલા આચાર્ય પાદલિપ્તસૂરિ અને નવમા સૈકામાં થયેલા આચાર્ય બપ્પભટ્ટસૂરિજી તીર્થની યાત્રાએ આકાશમાર્ગવિદ્યાના આધારે નિત્ય આવતા હતા. એમ પ્રભાવકચરિત' ઉપરથી જાણવા મળે છે. વનવાસી ગચ્છના પૂજ્ય આચાર્યદેવ શ્રી યશોદેવસૂરિના પટ્ટધર પૂજ્ય આચાર્યદેવ શ્રી પ્રદ્યુમ્નસૂરિજીએ નવમી સદીના મધ્ય ભાગે વારંવાર મગધદેશમાં વિહાર કર્યો હતો. સાત વાર સમેતશિખરજી તીર્થની યાત્રા કરી હતી અને સમેતશિખરજી તીર્થ ઉપર જુદાં જુદાં વિસ સ્થાને નિર્વાણ સ્તુપો સ્થપાવ્યા હતાં. પૂર્વ દેશમાં સત્તર તીર્થસ્થાનોમાં નૂતન જિનાલયો કરાવ્યાં છે. ઘણા તીર્થોનાં જીર્ણોદ્ધાર કરાવ્યાં છે, અગિયાર જૈન ગ્રંથભંડારો સ્થપાવ્યા છે. તેરમા સૈકાના આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરિએ સમેતશિખરજી ઉપર દેવાલયો અને જિન મૂર્તિઓ હતી એવી નોંધ તેમની વંદાવૃત્તિ'માં કરી છે. સંવત ૧૩૪૫ માં અહીં મહાપ્રતિષ્ઠા થઈ હતી. સંવત ૧૫૬૫માં પૂજ્ય પંન્યાસજી શ્રી હંસસોમનામનામુનિઅહીં સંઘ લઈને આવ્યા હતા તેમણે પોતાની 'તીર્થમાળા'માં જણાવ્યું છે કે તેઓ તળેટીમાં રહેલાં પાલગંજ નામના ગામથી સમેતશિખરજી ગિરિરાજ પર ચડયા હતા. ત્યાંના રાજા સંઘને યાત્રા કરાવવા સાથે આવ્યા હતા. ત્યાંથી સાત કોશનો કઠિન પંથ હતો. માર્ગ વિષમ અને ઝાંખરાથી છવાયેલો હતો. રસ્તામાં વાઘ, સિંહ અને હાથીઓનાં ઝુંડ નજરે પડતાં હતાં. વાંસના મોટાં જંગલ હતાં. જમણી બાજુએ કેળનું વન હતું. આ બધું જોતાં જોતાં તેઓ ઉપર આવ્યા ત્યારે ત્યાં વાસ સ્તુપ હતા. આ સ્તુપોની વચ્ચે ત્રિકોણ ઝૂંડ હતો. હાથીઓ પાણી પીવા અહીં આવતા તે અમે નજરોનજર નિહાળ્યું. સ્તુપોને ભાવથી વંદન કર્યું. પછી સ્નાન કરી પૂજા-પાઠ, ચૈત્યવંદન કર્યું. સ્તુતિસ્તોત્ર ગાયાં. આ રીતે ઉલ્લાસભેર યાત્રા કરી વીસ કોશ દૂર ઋજુવાલિકા નદીના કાંઠે જાસ્મિકગામ જ્યાં ભગવાન મહાવીર સ્વામીને કેવળજ્ઞાન થયું હતું તે સ્થળે આવ્યા. ચંપાનગરી નજીકના અકબરપુર ગામના મહારાજા માનસિંહજીના મંત્રીશ્રી નાનૂએ અહીં મંદિરોનું નિર્માણ કરાવ્યાનો ઉલ્લેખ સંવત ૧૬૫૯ના ભટ્ટારક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy