________________
૨૨૦
શ્રી સમેતશિખરજી મહાતીર્થ (૨) શ્રી અજિતનાથ ભગવાન (૧૩) શ્રી વિમલનાથ ભગવાન (૩) શ્રી સંભવનાથ ભગવાન (૧૪) શ્રી અનંતનાથ ભગવાન (૪) શ્રી અભિનંદન સ્વામી (૧૫) શ્રી ધર્મનાથ ભગવાન (૫) શ્રી સુમતિનાથ ભગવાન (૧) શ્રી શાંતિનાથ ભગવાન
શ્રી પદ્મપ્રભ સ્વામી (૧૭) શ્રી કુંથુનાથ ભગવાન (૭) શ્રી સુપાર્શ્વનાથ ભગવાન' (૧૮) શ્રી અરનાથ ભગવાન (2) શ્રી ચંદ્રપ્રભ સ્વામી ' (૧૯) શ્રી મલ્લિનાથ ભગવાન (૯) શ્રી સુવિધિનાથ ભગવાન (૨૦) શ્રી મુનિસુવ્રત સ્વામી (૧૦) શ્રી શીતલનાથ ભગવાન (૨૧) શ્રી નમિનાથ ભગવાન (૧૧) શ્રી શ્રેયાંસનાથ ભગવાન (૨૩) શ્રી પાર્શ્વનાથ ભગવાન
જ્યાં તીર્થકર ભગવંતનો પાદસ્પર્શથયો હોય તે ભૂમિ પણ પવિત્ર ગણાય છે. તો જ્યાં વીસ વીસ તીર્થકરોએ પોતાના પવિત્ર જીવનનો અંતિમ સમય વિતાવ્યો હોય, જ્યાં દીર્ઘ અનશન કર્યા હોય અને જ્યાં શૈલીશીકરણ અવસ્થાને પ્રાપ્ત થઈ નિર્વાણપદને પામ્યા હોય તે ભૂમિ કેટલી પવિત્ર માનવી? તીર્થકરોના પગલે પગલે અનેકમુનિભગવંતોએ પણ અહીં તપ જપ-ધ્યાનાદિ ધર્મ સાધના કરી અનશન કરી મોક્ષ પદની પ્રાપ્તિ કરેલી છે. એટલે અહીંનો કણેકણ મહાન પવિત્ર અને પુજનીય છે. આ ભૂમિના સ્પર્શ માત્રથી માનવીનો આત્મા પ્રફુલ્લિત થઈ પ્રભુના સ્મરણમાં લીન થઈ જાય છે. અહીની યાત્રા માનવીના સંકટહરનારી, પુણ્યો-પાર્જનકારી અને પાપ વિનાશકારી છે.
બિહારમાં એક માન્યતા છે કે જે પારસનાથનથી ગયો તે માતાના પેટે જન્મ્યો જ નથી.” અર્થાત તેનો જન્મ વ્યર્થ ગયો છે. શ્રી સમેતશિખરજી ભારતનું એક અગ્રગણ્ય શ્રેષ્ઠ તીર્થ છે, મહાતીર્થ છે. તેથી પ્રત્યેક જૈને જીવનમાં ઓછામાં ઓછી એકવાર શ્રી સમેતશિખરજી મહાતીર્થની યાત્રા અવશ્ય કરવી જ જોઈએ.
ગિરિવર દરિસણ વિરલો પાવે, પૂરવસંચિત કર્મ ખપાવે.”
શ્રી સમેતશિખરજી મહાતીર્થનો પૂર્વ ઇતિહાસ )
શ્રી સમેતશિખરજી ગિરિરાજ સમુદ્રની સપાટીથી ૪૪૪૦ ફીટની ઊંચાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org