________________
ભારતના મુખ્ય જૈન તીર્થો
૨૧૯. પાપસ્થાનકો અઢાર છે, તેમાં પાંચ પાપસ્થાનકો ઘણા મોટા છે, તેનો તો અહીં તીર્થયાત્રામાં અવશ્ય ત્યાગ કરવો જોઈએ. અર્થાત્ (૧) કોઈ પ્રાણીની હિંસા કરવી નહીં. (૨) જૂઠું બોલવું નહીં (૩) ચોરી કરવી નહીં. (૪) અબ્રહ્મનું સેવન કરવું નહીં. (૫) પરિગ્રહમાં મૂર્ષિત થવું નહીં. આ પાપો થવાનું કારણ મોજશોખ છે. એટલે તેનાથી દૂર રહેવું જોઈએ. વળી કલહ-કંકાસ કર્મબંધનું કારણ છે એટલે કોઈ સાથે લડાઈ-ઝઘડો ન કરતાં સમતાથી વર્તવું જોઈએ અને તીર્થયાત્રા કરવા આવનાર સર્વે મારા સાધર્મિક બંધુઓ છે એમ માનીને સર્વેની સાથે સ્નેહભર્યો વર્તાવ કરવો જોઈએ અને સાધર્મિકની ભકિત કરવી જોઈએ. અઢારમું પાપસ્થાનકમિથ્યાત્વશલ્ય છે એટલે જિનેશ્વરદેવનાં વચનો પર અશ્રદ્ધા, જે બધા પાપસ્થાનકોને લાવનારુ છે, તેનો પ્રથમ ત્યાગ કરવો જોઈએ. | તીર્થસ્થાનોમાં કલ્યાણક ભૂમિઓનું ઘણું મહત્ત્વ છે. કલ્યાણક ભૂમિ એટલે જ્યાં તીર્થકર ભગવંતનું ચ્યવન, જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન કે નિર્વાણ કલ્યાણક થયેલું હોય એટલે જ શ્રી સમેતશિખરજીને સહુથી મોટું તીર્થ કહેવાય છે, અને શ્રી સમેતશિખરજીની યાત્રાને સૌથી મોટી તીર્થશાત્રા કહેવાય છે. કારણ કે એમ કહેવાય છે કે પૂર્વ ચોવીસીના કેટલાંક તીર્થકરો અહીં મોક્ષે ગયા છે તથા વર્તમાન ચોવીસીના ૨૪ તીર્થકરો પૈકી વીસ તીર્થકરોનાં નિર્વાણ કલ્યાણકો શ્રી સમેતશિખરજી તીર્થ ઉપર થયેલાં છે.
વર્તમાન અવસર્પિણી કાલમાં થઈ ગયેલા ચોવીસ તીર્થકરોને નમસ્કાર કરીએ. (૧) પહેલા તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાન શ્રી અષ્ટાપદજી ઉપર નિર્વાણ
પામેલાં. (૧૨) બારમા તીર્થકર શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન ચંપાપુરીમાં (ભાગલપુર)
નિર્વાણ પામેલાં. (૨૨) બાવીસમા તીર્થકર શ્રી અરિષ્ટનેમિ (શ્રી નેમિનાથ ભગવાન) ઉજ્જયંતગિરિ
એટલે ગિરનાર ઉપર નિર્વાણ પામેલાં. (૨૪) ચોવીસમાં તીર્થકર શ્રી મહાવીર સ્વામી ભગવાન પાવાપુરીમાં નિર્વાણ
પામેલાં.
બાકીના વીસ તીર્થકરોના નિર્વાણ કલ્યાણકો શ્રી સમેતશિખરજી તીર્થ ઉપર થયેલાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org