________________
૨૦૮
શ્રી કર્ણાવતી તીર્થ (ચૌમુખજી) ભવ્ય, વિશાલ બાવન જિનાલયદેરાસરસંવત ૧૬૮૨માં બંધાવ્યું હતું. પ્રવેશદ્વારે બે મોટાં હાથીઓ હતા. તે વખતના ગુજરાતના સુબા ઔરંગઝેબે સંવતઃ ૧૭૦૦માં આ મંદિરને ખંડિત કરી મજીદ બનાવી હતી.
સંવતઃ ૧૭૧૭ ના દુષ્કાળમાં શેઠશ્રી શાંતિદાસ ઝવેરીના સુપુત્રો દ્વારા થયેલ યોગદાન ઉલ્લેખનીય છે. વિ.સં. ૧૭૪૬માં અમદાવાદમાં ૧૭૮ દેરાસરો હતાં તથા પચાસ હજાર શ્રાવકોનાં ઘર હતાં. હાલમાં અમદાવાદમાં ૩૦૧ દેરાસરો ૧૧૨ ઉપાશ્રયો, ૪ ધર્મશાળાઓ તથા ૪ ભોજનશાળાઓ છે. અનેક આયંબિલશાળાઓ તથા જ્ઞાનભંડારો છે. (૫) શ્રી હઠીભાઈની વાડીનું મંદિર -
કલા અને વિશાલતામાં અમદાવાદમાં પ્રસિદ્ધ છે. શેઠશ્રી હઠીસિંગ કેસરસિંહે આ બાવન જિનાલય બંધાવ્યું હતું તેની પ્રતિષ્ઠા ઘણી ધામધામપૂર્વક લાખો રૂપિયાના ખર્ચે તેમના ધર્મપરાયણ, બુદ્ધિનધાન ધર્મપત્ની શેઠાણી હરકુંવરબાઈએ સંવત ૧૯૦૩ માહ વદ- ૧૧ ગુરુવારના શુભદિને આચાર્ય ભગવંત શ્રી શાંતિસાગરસૂરીશ્વરજી મ.સા.ના સુહસ્તે કરાવી હતી. મંદિરની શોભા અનેરી છે. શિલ્પકલા આબુ-દેલવાડાના દેરાસરનું સ્મરણ કરાવે છે. મૂળનાયક શ્રી ધર્મનાથ ભગવાનની ૬૩ સે.મી.ની પદ્માસનસ્થ શ્વેત વર્ણના પ્રતિમાજી છે. આ દેરાસરના પાછળના ભાગનું શિલ્પ ખૂબ સુંદર છે. આ દેરાસર દિલ્હી દરવાજાની બહાર શેઠ હઠીસિંહજીની વાડીમાં આવેલ છે. મુખ્ય દેરાસરો:- (શહેરમાં) (૧) શ્રી મહાવીરસ્વામી ભગવાનનું દેરાસર - પ્રતિષ્ઠા સંવત ઃ ૧૯૨૩
પતાસાની પોળ સામે, ગાંધીરોડ શ્રી અષ્ટાપદજીનું દેરાસર ડોશીવાડાની પોળ, (શ્રી નંદીશ્વરદ્વીપ, સમવસરણ, રાયણવૃક્ષ તથા મોગલ સમ્રાટ અકબર
પ્રતિબોધક જગદગુરુ શ્રી હરવિજયસૂરીશ્વરજી મ.સા.ની મૂર્તિ છે. (૩) શ્રી સીમંધરસ્વામી ભગવાનનું દેરાસર
ડોશીવાડાની પોળ (૪) શ્રી ભાભા પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર
ડોશીવાડાની પોળ, - આ પ્રતિમાજી ખૂબ પ્રાચીન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org