SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૨૦૭ શ્રી કર્ણાવતી તીર્થ (અમદાવાદ) અહમદશાહ બાદશાહ સંવતઃ ૧૪૫૪માં ગુજરાતની ગાદી પર બેઠા અને પોતાના નામ પરથી સાબરમતી નદીના કિનારે નવું નગર અમદાવાદ વસાવીને પાટણને બદલે અમદાવાદને ગુજરાતની રાજધાની બનાવી. અમદાવાદની સ્થાપના સંવત ઃ ૧૪૬૮ વૈશાખ વદ-૭ રવિવાર પુષ્ય નક્ષત્રમાં થઈ હતી. સૌ પ્રથમ ભદ્રનો કિલ્લો બંધાવ્યો હતો. આ પહેલાં આ નગરીદસમી સદીમાં આશાવલ(આશાવલ્લી) અને અગિયારમી સદીમાં કર્ણાવતી નગરી નામે પ્રસિદ્ધ હતી. એ સમયે કર્ણાવતી નગરી જૈન ધર્મનું કેન્દ્ર બની ચુકી હતી. (સંવત ઃ ૧૧૩૧) તે સમયમાં (૧) શ્રી ભાભા પાર્શ્વનાથ ભગવાનનું વિશાલ મંદિર હતું. (૨) શ્રી ઉદયનમંત્રીએ ઉદયનવિહાર નામનું એક મંદિર બંધાવ્યું હતું. (૩) શ્રી સાંતુ મંત્રીએ અહીં વિશાલ જૈન મંદિર બંધાવ્યું હતું (૪) આચાર્ય શ્રી વાદિદેવસૂરીશ્વરજીનાં અહી પદાર્પણ થયાં હતાં. (૫) કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રચાર્યે અહી પ્રાથમિક શિક્ષા ગ્રહણ કરી હતી. (૬) મંત્રીશ્રી પેથડશાહે અહી એક જ્ઞાનભંડારની સ્થાપના કરી હતી. ભદ્રકાળીનું મંદિર મરાઠા સમયનું છે. ૦ અમદાવાદના જૈન દેરાસરો: (૧) ઝવેરીવાડમાં આવેલ શ્રી સંભવનાથ ભગવાનનું મંદિર પ્રાચીન છે. (૨) ઝવેરીવાડની નીશાપોળમાં આવેલ શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ ભગવાનનું મંદિર વિ.સં. ૧૬૦૦માં શ્રી જૈન સંઘે બંધાવ્યું છે. પ્રતિમાજી ઘણાજ કલાત્મક અને ચમત્કારી છે. એક સમયે આ પ્રતિમાજીના દર્શન કરવા માટે એક સુવર્ણ મહોર આપવી પડતી હતી. (૩) વાઘણપોળમાં શ્રી અજીતનાથ ભગવાનની પંચધાતુની કાર્યોત્સર્ગ પ્રતિમાજી દર્શનીય છે.. (૪) નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી તથા તેમના મોટાભાઈ શ્રી વર્ધમાન શેઠે અમદાવાદમાં સરસપુરમાં બીબીપુર પરામાં શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy