________________
૨૦૬
શ્રી નાકોડા તીર્થ મૂળનાયકશ્રીનાકોડા પાર્શ્વનાથ ભગવાનની ૫૮ સે.મી. નીશ્યામવર્ણની પદ્માસનસ્થ પ્રતિમાજી છે.
વિ.સ. ૯૦૯ માં આ શહેર વિરમપુર નામે પ્રચલીત હતું. શ્રાવકોના * ૨૭૦૦ ઘરો હતા. ભાગ્યવાન શ્રાવક શ્રી જિનદત્તને શ્રી અધિષ્ઠાયકદેવ દ્વારા સ્વપ્નમાં આપેલ સંકેતના આધારે પ્રભુજી નાકોરનગરની નજીક સિણદરી ગામની પાસે એક તળાવમાંથી મળ્યા હતા. પ્રભુજીને ખૂબજ ઉલ્લાસ અને ધામધૂમપૂર્વક વરઘોડાસાથે અહલાવીને વિ.સં. ૧૪૨૯માં ભટ્ટારકઆચાર્યશ્રી ઉદયસૂરીશ્વરજીની નિશ્રામાં પ્રતિષ્ઠા કરાવવામાં આવી હતી. ત્યારથી આ તીર્થનું નામ નાકોડા પડ્યું. વિ.સં. ૧૫૧૧માં જીર્ણોદ્ધાર સમયે અહીં પ્રગટપ્રભાવી સાક્ષાત અધિષ્ઠાયક દેવ શ્રી ભૈરવજીની સ્થાપના આચાર્યશ્રી કીર્તિરત્નસૂરીજી દ્વારા કરાવવામાં આવી હતી. શ્રી નાકોડા ભૈરવજી મહારાજ આ તીર્થની રક્ષા કરે છે અને ભકતોની મનોકાંક્ષાઓ પૂર્ણ કરે છે. ૦ તીર્થના જીર્ણોદ્ધારો:
વિ.સં. ૧૫૧૧ - ૧૫૪ - ૧૬૩૮ - ૧૮૬૫. મૂળનાયક શ્રી નાકોડા પાર્શ્વનાથ ભગવાન ભવ્ય અને ચમત્કારી છે. શ્રી નાકોડા ભૈરવજી મહારાજસાક્ષાત અને ચમત્કારી છે. દરરોજ સેંકડો યાત્રીકો પોતપોતાની ભાવનાઓ લઈને આવે છે અને તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે.
| દર વર્ષે માગશર વદ - ૧૦ (પોષ દશમે) વિરાટ મેળાનું આયોજન થાય છે.
' બીજા મંદિરો- શ્રી આદીશ્વર ભગવાન તથા શાંતિનાથ ભગવાનના મંદિરો છે. અહી ભોયરામાં ૧૨ મી સદીથી ૧૭મી સદી સુધીની પ્રાચીન પ્રતિમાજીઓ છે જે જોવાલાયક છે તથા દર્શનીય છે. શ્રી ભાંડવપુર તથા શ્રી જાલોર તીર્થ આ તીર્થની પાસે આવેલાં છે.
વિશાલ ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ છે. યાત્રીકોને ભાતુ પણ આપવામાં આવે છે.
પેઢી - શ્રી જૈન શ્વેતાંબર નાકોડા પાર્શ્વનાથ તીર્થ પોસ્ટ - મેવાનગર, સ્ટેશન - બાલોતરા જિલ્લો - બાડમેર (રાજસ્થાન)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org