________________
ભગવાન શ્રી ઋષભદેવ
૫
આ જોઈ ઋષભદેવ દ્રવિત થઈ ગયા. કરુણાવશ તેમણે પિતાજીને પ્રણામ કરીને કહ્યું કે તમે નિશ્ચિંત થાવ. એ સુનંદાનો સાથી હું બનીશ. નાભિકુળકર ક્ષોભ પામ્યા. 'અશકય', 'અસંભવ', યુગલિકોની જાતિનું શું ? ત્યારે ૠષભદેવ કહ્યું કે પિતાજી કાળ પરિવર્તન પામ્યો છે તેમાં આવાં પરિવર્તનો માનવજીવનના વિકાસ માટે જરૂરી છે. નાભિકુળકર પણ કાળના પરિવર્તનથી ચિંતિત હતા. તેમણે ઋષભદેવની વાત સ્વીકારી અને સુનંદા ઋષભદેવને સુપ્રત થઈ. સુનંદાને સુયોગ્ય સાથી મળી ગયો. યુગલિક જીવનમાં ત્રીજી વ્યકિતનો પ્રવેશ એ આશ્ચર્યજનક ઘટના હતી. સુમંગળાએ પણ ઉદાર દિલે સુનંદાને પોતાના જીવનમાં સમાવી દીધી. તે કાળની ઘણી મોટી સમસ્યાના જ્ઞાની ઋષભદેવે આ રીતે ઉકેલ કર્યો.
ઋષભદેવના દિવસો બે પત્ની સાથે સુખભર્યા નીવડયા. પરંતુ રાજ્યની સુવ્યવસ્થા અને માનવ જીવનની કેળવણી માટે હંમેશાં જાગૃતિ રાખતા, તેઓ તેને માટે સચિંત હતા.
એક મંગલ રાત્રિએ સુમંગલાએ ઉત્તમ સ્વપ્ન જોયાં. પતિ પાસે તેમણે સ્વપ્ન નિવેદન કર્યું. ઋષભદેવે પ્રસન્નતાપૂર્વક સ્વપ્નફળ કહ્યું કે, હે દેવી તમારી કુક્ષીએ ભાવિ ચક્રવર્તીનો જન્મ થશે. અને શીઘ્ર પરિવર્તન પામતા આ યુગમાં એ ચક્રવર્તી માનવજીવનનો ઉદ્ધાર કરશે. એક મંગળદિને સુમંગળાએ ભરત અને બ્રાહ્મીના જોડકાંને જન્મ આપ્યો.
વળી સુનંદાએ બાહુબલિ અને સુંદરીના જોડકાંને જન્મ આપ્યો.
ચાલી આવતી યુગલિકની પતિ-પત્ની વ્યવસ્થામાં ઋષભદેવે યુગ પરિવર્તનને લક્ષમાં રાખીને મહત્ત્વનું પરિવર્તન કર્યુ. ભરત સાથે જન્મેલી બ્રાહ્મીનો વિવાહ વાગ્દાન બાહુબલિ સાથે અને બાહુબલિ સાથે જન્મેલી સુંદરીનો વિવાહ વાદાન ભરત સાથે જાહેર કર્યો. આ વાતથી પ્રજા પ્રથમ એક આંચકો ખાઈ ગઈ, પરંતુ રાજા પ્રત્યેના અનન્ય વિશ્વાસને કારણે તે પ્રસંગ સર્વમાન્ય બન્યો. હવે જાણે પારકાને પણ પોતાના કરવાની ભાવના સાકાર કરી.
કલ્પવૃક્ષોના ક્ષીણ થવાથી ઘણી નવી સમસ્યાઓ ઊભી થતી. પૂરતાં વસ્ત્ર, આહાર, વિરામ સ્થાનો પણ હવે મળતા નહિ, આથી પ્રજાજનો પ્રથમ શેરડીના રસ પર નભવા લાગ્યા. ચોખા જેવા અનાજને ખાવા લાગ્યા, પરંતુ તે પાચન માટે અયોગ્ય પુરવાર થયાં. વળી ભીંજવીને ખાવાથી પણ પચતા નહીં. તે કાળે કુદરત જાણે સહાય કરવા માંગતી હોય તેમ બે વૃક્ષોના ઘર્ષણથી અગ્નિ પેદા થયો. ઋષભદેવે સૂચવ્યું કે તેમાં અનાજ પકવીને ખાજો. પણ આ શું? અગ્નિમાં અનાજ-પાણી જે કંઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org