________________
ભારતનાં મુખ્ય જૈન તીર્થો એ તોફાને યુગલિકકાળની ધરતીનું સૌંદર્ય ઉજાડી નાંખ્યું હતું. કલ્પવૃક્ષો ક્ષીણ થયા હતા. હવે યુગલિકોને મનવાંછિત વસ્તુઓ મળતી ન હતી. અતૃપ્ત એવા માનવો અને પશુઓમાં અન્યોન્ય સંઘર્ષ અને મારામારી થતાં. જ્યારે તેમના જીવન સરળ હતા ત્યારે તો સામાન્ય અપરાધ માટે ફકત હાકાર' શબ્દ બોલતા – “હા” તે આ અયોગ્ય કર્યું છે અને વ્યકિતને બોધપાઠ મળી રહેતો. આ શિક્ષા એ ભોળાજનો માટે હૃદયમાં ઘા કરી જતી, પરંતુ જનમાનસ હવે પલટાયું હતું. તેથી "માકાર” શબ્દથી અપરાધીને દંડ મળતો કે આવું મા કર” તેમને માટે આ વેણ ઘણાં કપરા હતાં. અને યુગલિકો તેને સજા માની આજ્ઞામાં રહેતાં.
પ્રજામાં વક્રતા અને જડતાનું પ્રમાણ વધતા સંધર્ષો વધ્યા અને ધિક' શબ્દ વડે ધિક્કાર જાતિ પણ અમલમાં આવી. અપરાધીને ધિક્કારવામાં આવતો અને અપરાધી રાંક બની જતો, છતાં જન માનસમાં વિકૃતિની વૃદ્ધિ થતી ગઈ. આથી સૌ નાભિકુળકર પાસે આવ્યા. તેમણે સૌને આશ્વાસન આપ્યું કે તમારા સમાધાન માટે ઋષભને રાજા તરીકે નીમવામાં આવશે. યુગલિકોને આથી આશ્વાસન મળ્યું. સૌએ વાત વધાવી લીધી. ઋષભદેવ પ્રથમ રાજા થયા.
તે કાળના માનવોમાં રાજ્યાભિષેક જેવા વ્યવહારનું જ્ઞાન ન હતું. પરંતુ ઋષભદેવ તીર્થકર નામ-કર્મના પુણ્ય યોગવાળા હતા. આથી ઇન્દ્રાદિ દેવોએ ઋષભદેવનો રાજ્યાભિષેક કર્યો, યુગલિકોના વિનય અને સદૂભાવનાથી પ્રેરાઈને ઇન્દ્ર વિનીતા નામની અભુત નગરી વસાવી દીધી. આદિમ પૃથ્વીનાથે.”
ઋષભદેવ રાજા થયા, જ્ઞાની તો હતા. તરતજ તેમણે રાજ્ય વ્યવસ્થા માટે અનેક આયોજન કર્યા. પ્રજા પ્રત્યે તેમનું વાત્સલ્ય તેમની વ્યવસ્થામાં પ્રગટ થતું હતું. નાભિકુળકર પણ પ્રસન્ન હતા.
ઋષભદેવ રાજ્યની વ્યવસ્થા માટે વન-ઉપવનમાં ઘૂમીને નિરીક્ષણ કરતાં. એક વાર તેઓ દૂર પ્રદેશના યુગલિકોના સ્થાને પહોંચ્યા, ત્યાં તેમણે સૌંદર્યવાન સુનંદાને એકાકી ફરતી જોઈ. યુગલિકો પણ એકઠા મળ્યા. તેઓ આ યુવાનને જોઈને પ્રભાવિત થયા. તેઓ પણ સૌની સાથે નાભિકુળદર પાસે પહોંચ્યા. નાભિકુળકરે તેમનો આદરપૂર્વક સત્કાર કર્યો. તેઓએ સુનંદાને આગળ કરીને કહ્યું કે, તમે આ નારીનો સ્વીકાર કરો. તેનું દુઃખ અમારાથી જોવાતું નથી.
નાભિકુળકર વિચારમાં પડયા કે સાથી વગરની નારીનો સાથી કોણ થાય?
કારણ કે અહીં કોઈ હજી સાથી વગરનું હતું નહિ. આવનાર યુગલિકો હતાશ થયા અને સુનંદાના ચક્ષુઓ તો અશ્રુઓથી ભરાઈ ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org