________________
ભગવાન શ્રી ઋષભદેવ જન્મ આપ્યો. પુત્રના હૃદય પાસે વૃષભનું લંછન જોઈ તેનું નામ ઋષભ પાડવામાં આવ્યું અને પુત્રીનું નામ સુમંગળા પાડવામાં આવ્યું. તીર્થકર નામકર્મને યોગ્ય ઇંદ્રાદિ દેવોએ ભગવાનનો જન્માભિષેક કર્યો. ઋષભ અને સુમંગલા ઊછરવા લાગ્યાં.
અચાનક જ આશ્ચર્યજનક ઘટના બની. એક યુગલ સુમેરુની તળેટીમાં હર્ષોન્માદમાં નાચતું હતું, આનંદના હિંડોળે યુગલ ઝૂલતું હતું, ત્યાં અચાનક કયારેક નહિ જોયેલું કે જાણેલું એવું કોઈ ભયંકર તોફાન આવ્યું. ભયંકર સુસવાટા મારતા પવને વન પ્રદેશને ઘેરી લીધો. ઝાડપાન, પર્વત અને ધરા સૌ પ્રૂજી ઊઠ્યા અને સરિતાના પાણી આભે આંબવા લાગ્યા. પેલું યુગલ સાશ્ચર્ય સાવચેત બન્યું. પશુ પક્ષીઓ પણ કંપી ઊઠ્યા. વૃક્ષો ઊખડી ઊખડીને ધરાશયી થવા લાગ્યા. અને એક વૃક્ષ નીચે ઊભેલા પેલા યુગલમાંથી નરના માથા પર એક મોટું ફળ તૂટી પડ્યું. પેલો નર જમીન પર પછડાઈ ગયો. તેને વળગીને ઊભેલી પેલી નારી પણ જમીનને શરણે ઝૂકી ગઈ, પરંતુ એ કાળમાં ન બનેલું બની ગયું. પેલો નર નારીને મૂકીને સદાને માટે પોઢી ગયો.
વાતાવરણ શાંત થયું. પેલી નારીને ભાન આવ્યું, ત્યારે તેણે જોયું કે વન ઉપવન ઉજડી ગયા હતા. જ્યાં ત્યાં પશુ પક્ષી અને યુગલો મૂછમાં પડ્યા હતા. ધીમે ધીમે સૌ જાગ્યા, પણ આ શું? આ નર તો હાલતો ચાલતો કે ઊઠતો નથી. તેને ઢંઢોળ્યો પણ તે નર ન જ જાગ્યો. જાગવાની શકયતા પણ ન જ જણાઈ. અને એ યુગની ધરતી પર શોક ના ને વિયોગના એંધાણ શરૂ થયા. ન સમજાય કે ન ઉકેલાય તેવી સમસ્યા ખડી થઈ.
નારીએ જોયું કે આ નર નહિંજ ઊઠે, અને તેના હૃદયમાં એક કંપ પેદા થયો. વિકલ્પ ઊઠયો “શું હું એકલી?' મારો સાથી નહિજ ઊઠે અને તેના કંઠમાંથી ભયંકર આક્રંદ શરૂ થયું. તે યુગમાં રુદનનો પ્રારંભ થયો. એ નારીની પાંપણોમાંથી શ્રાવણ - ભાદરવાની જાણે ધોધમાર વર્ષા શરૂ થઈ. ઘડીભર માટે એ ધરતીના આનંદ અને કિલ્લોલ ખંભિત થઈ ગયા.
એ નારીનું રુદન ઘેરું બનતું ગયું. તેના રુદનના પડઘાથી વૃક્ષના માળામાં રહેલા પંખીઓમાં, પાણીમાં, પવનમાં પણ શોકનો પડઘો પડયો. યુગલિકો ભેગા થયા, લોભ પામી ગયા. શું નારી એકલી થઈ ગઈ? આવું તો તેમણે કયારે જોયું ન હતું. દિવસો વીતવા લાગ્યા, વર્ષો વીત્યા, સુનંદા યુગલિકની વચ્ચે એકલી ઘૂમતી. તેના હૃદયમાં અજંપો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org