________________
૨૦૪
શ્રી નાગેશ્વર તીર્થ શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વનાથ ભગવાનના પ્રતિમાજીની પ્રતિષ્ઠા શ્રી પાર્શ્વનાથ ભગવાનના પ્રભાવી શિષ્ય આચાર્ય શ્રી કેશી ગણધરે કરાવી હતી. શ્રી મહાવીર સ્વામી ભગવાન જ્યારે ૩૭ વર્ષની ઉમરે વિચારતા હતા ત્યારે આ પ્રતિમાજીની પ્રતિષ્ઠા થઈ હતી. પ્રદેશી રાજાએ તેની પ્રતિષ્ઠા કરી હતી.
કલચૂરીના વંશજગજસિંહ,જૈન ઉપાસક હતા. તેમણે શ્રી પદ્માવતીદેવીની શ્રેષ્ઠ ઉપાસના કરી અને દેવીએ પ્રસન્ન થઇને આ પ્રતિમાજી તેમને આપી હતી. પ્રતિમાજીની ઉચાઈ ૪૭ ઇંચની છે. ત્યારબાદ મંદિર નષ્ટ થયું
- આજથી પાંચેક વર્ષ પૂર્વે ઉગનાગામના મુખી શ્રી ભવાનસિંહ દ્વારા કુવો બનાવતાં ૪૪ ફુટની ઉંડાઇએ અચાનક એક દિવસ ખાડો દૂધથી ભરાઈ ગયો, અને જીવતા સર્ષોથી વિંટળાયેલા આ પ્રતિમાજી મળી આવ્યા.
- નગપુરામાં મંદિર નિર્માણની યોજના કરવામાં આવી. મંદિરનું શિલારોપણ તા. ૧૨-૩-૮૬ના રોજ થયું. શિલારોપણ વખતે ભૂગર્ભમાંથી દૂધનિકળ્યું હતું. કોઈ કોઈ વખત ગભારામાં નાગ-નાગણીની જોડી આવે છે.
તીર્થના અધિષ્ઠાયકપ્રગટ પ્રભાવી શ્રીમાણિભદ્રવીર છે. શ્રી માણિભદ્રવીરને ચૌદસે સુખડી ચઢાવવામાં આવે છે તથા શ્રીફળ પણ ચઢાવવામાં આવે છે. શ્રી પદ્માવતીદેવી પણ દેરાસરમાં બિરાજમાન છે. ભારતમાં આ ભવ્ય તીર્થ બનશે. હજ્જારો યાત્રિકો રોજ અત્રે પ્રભુ-ભકિત કરવા પધારે છે. ધર્મશાળા, ભોજનશાળાની સગવડ છે. જાત્રાળુઓને ભાતુ પણ આપવામાં આવે છે. પેટી - શેઠ લબ્ધિનાથ શાંતિનાથ પારસ ટ્રસ્ટ,
પારસ નગર ,પો. નગપુરા - જીલ્લા - દુર્ગ (મ. પ્ર.).
- શ્રી નાગેશ્વર તીર્થ
ઉજ્જૈનથી ૧૩૦ કિલોમીટર દૂર છે. આલોટ(વિક્રમગઢ) સ્ટેશનથી ૮ કિલોમીટર દૂર છે. ચૌમહલાથી ૧૫ કિલોમીટર દૂર છે. રતલામથી ૯૦ કિલોમીટર દૂર છે. આ સ્થળ રાજસ્થાનમાં આવેલું છે. પરન્તુ મધ્યપ્રદેશની સરહદ નજીક છે. ચિતોડગઢથી દક્ષિણ પૂર્વ દિશામાં ૧૭૦ કિલોમીટર દૂર છે. રતલામ - દિલ્હી તરફ રેલ્વે માર્ગે ચૌમહલા સ્ટેશનથી બસ, જીપ આદિ વાહનો દ્વારા નાગેશ્વર તીર્થ જઈ શકાય છે.
મૂળનાયક શ્રી નાગેશ્વર પાર્ધ્વનાથ ભગવાન નીલ વર્ણના છે. કાર્યોત્સર્ગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org