SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૨૦૩ જેની પ્રતિષ્ઠા સંવત ૧૬૭૩માં થઈ હતી. અધિષ્ઠાયકદેવશ્રી ધરણેન્દ્ર ભકતજનોને સાક્ષાત દર્શન આપે છે. અહીંયા કલ્પવૃક્ષ અને પ્રવેશદ્વાર જોવા લાયક છે. ધર્મશાળા, ભોજનશાળાની સગવડ છે. શ્રી અમરસાગર તીર્થ જેસલમેરથી લોદ્રવા જતાં ૩ કિલોમીટર દૂર આ તીર્થ આવેલું છે. દેરાસરમાં જેસલમેરના પીળા પથ્થર વાપર્યા છે. મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની શ્વેતવર્ણ પદ્માસનસ્થ પ્રતિમાજી છે. તળાવ કિનારે બીજા બે દેરાસરો છે. સુંદર રમણીય સ્થળ છે. અમદાવાદથી જેસલમેર તીર્થ જવા માટે સૂર્યનગરી એક્ષપ્રેસમાં • જોધપુર જવું. જોધપુરથી ટેક્ષી, મેટાડોર, લકઝરી બસમાં નીચે મુજબ જાત્રા કરવા જવું. આશરે ૬ દિવસનો નીચે મુજબ પ્રોગ્રામ થઈ શકે છે. - (૧) જોધપુર (ર) શ્રી કાપરડાજી તીર્થ (૩) શ્રી ઓશિયાજી તીર્થ (૪) ફલોધી (પ) રામદેવપીર (૬) શ્રી પોકરણ તીર્થ (૭) જેસલમેર તીર્થ, લોદ્રવાતીર્થ, અમરસાગર તીર્થ. જેસલમેરમાં ઉતરવા માટે ધર્મશાળા- જૈનભવન, જેસલમેર લોદ્રવાટ્રિસ્ટ, ખાદી ગ્રામોદ્યોગસામે, કિલ્લાબહાર જેસલમેર. -જેસલમેરથી બાડમેર જવાય છે. (૮) નાકોડાજી -નાકોડા પાર્શ્વનાથ ભગવાન તીર્થ (૯) જોધપુરથી અમદાવાદ - શ્રી ઉવસગ્ગહરં પાર્વતીર્થ (લબ્ધિનંગર- નગપુરા, જી. દુર્ગ (મધ્ય પ્રદેશ) પરે ! , AN પ્રાચીન ઇતિહાસ એ ભારતીય અસ્મિતાનું સોનેરી પાનું છે. જેમાં • આત્મકલ્યાણની અનેક કથાઓ છે. પ્રાચીન ઇતિહાસના પાનાઓ આપણને પ્રસન્નતાના અને સૌદર્યના દર્શન કરાવે છે. - નગપુરા તીર્થ મધ્યપ્રદેશ ના દુર્ગ શહેરથી ૧૪ કિલોમીટર દૂર શિવનાથ નદીના પશ્ચિમ કિનારે આવેલું છે. દુર્ગથી આવવા માટે બસ તથા, ટેક્ષીની વ્યવસ્થા છે. અમદાવાદથી દુર્ગ હાવરા એકસપ્રેસ ટ્રેઈન દ્વારા જવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy