________________
૨૦૨
શ્રી લોદ્રવપુર તીર્થ માઇલની ફરતી દીવાલમાં વસેલું શહેર છે. ચિતોડગઢ પછી આ બીજો જૂનામાં જૂનો કિલ્લો છે. કિલ્લાને ફરતી ૧૫ ફૂટ ઉંચાઇની પથ્થરની મજબૂત દીવાલો છે. કિલ્લાની અંદર જૂના મહેલો, જૈન મંદિરો, વૈષ્ણવ મંદિરો, કેટલાક ધરો આવેલા છે. આ કિલ્લામાંથી રત્ના નામે રાજકુંવરી અલ્લાઉદ્દીન ખીલજીના લશ્કર સામે બાર વર્ષ સુધી લડી હતી. ગઢના દરવાજા સૂરજપોળ, ગણેશપોળ, હવાપોળના નામથી ઓળ ખાય છે.
કિલ્લામાં અને શહેરમાં મળી ૧૩જૈન મંદિરો, પ્રાચીન 500પ્રતિમાજીઓ, ૧૯ ઉપાશ્રયો, ૭ જ્ઞાનભંડારો,છે. મહત્વના ત્રણ મંદિરો કિલ્લામાં આવેલા છે. (૧) શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર
(૨) શ્રી ઋષભદેવ ભગવાનનું મંદિર
(૩) શ્રી સંભવનાથ ભગવાનનું મંદિર
આ ત્રણે મંદિરોના તોરણો, સભામંડપ, છત, સ્તંભો, કલા-કોતરણીથી શોભી રહ્યા છે. મંદિરોની બહારની મૂર્તિઓની શિલ્પકલા જોતાં ખજુરાહો, કોણાર્ક, દેલવાડા વગેરે મંદિરોની શિલ્પકલા યાદ આવે છે.
કિલ્લામાં આવેલ હવેલીઓ ઉત્તમ પ્રકારના શિલ્પના કોતરકામવાળી છે. કેટલાક ખંડોમાં ઉત્તમ કોટીના ભીંત ચિત્રો છે. હવેલીઓનાં ઝરૂખાઓ, બારીઓ સૂક્ષ્મ પ્રકારના શિલ્પ અને નકસીથી કોતરેલી છે.
જેસલમેર તેના પ્રાચીન જ્ઞાનભંડારોથી પણ વિશ્વવિખ્યાત છે. દરેક ભાષાના તથા દરેક વિષયના પુસ્તકો અને પ્રાચીન હસ્તલેખિત પ્રતો તથા ગ્રંથો જ્ઞાનભંડારોમાં છે. કેટલાક ગ્રંથો તથા પ્રતો સોનેરી તથા રૂપેરી અક્ષરોથી લખાયેલી છે તથા ચિત્રોથી સજાયેલી છે. તાડપત્રનો એક ગ્રંથ ૩૪ ઈંચ લાંબો છે. તેમાં પાંચ હજા૨ પાનાંઓ પર ફોટાઓ છે. આ જ્ઞાનભંડારોના ઓરડામાં પન્નાની એક મૂર્તિ છે જે સોનાની ફ્રેઈમમાં રાખવામાં આવી છે.
જેસલમેર નગરની બહાર વિશાલ ગડીસાગર નામનું સરોવર છે. જેસલમેરમાં ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ છે.
શ્રી લોદ્રવપુર તીર્થ (લોદ્રવા)
જેસલમેર તીર્થથી ૧૬ કિલોમીટર દૂર લોદ્રવા તીર્થ છે. જેમાં શ્યામવર્ણના કસોટીના સહસ્ત્રફણા શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું પ્રાચીન દેરાસર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org