SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ શ્રી રાણકપુર તીર્થ (૩) ધરણવિહારની સામે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સુંદર મંદિર છે. મૂળનાયકની પ્રતિમાજી રાા ફૂટ ઉચી છે. મંદિરમાં કુલ-૩૩ પ્રતિમાજીઓ છે. ભોંયરામાં ૬૫ મૂર્તિઓ બિરાજમાન છે. આ મંદિર પંદરમી સદીમાં બંધાયેલું છે. આ મંદિરમાં ધરણાશાહની મૂર્તિ છે. (૪) શ્રી ચક્રેશ્વરી માતાનું મંદિર – અર્ધા માઇલ દૂર શ્રી ઋષભદેવ ભગવાનના અધિષ્ઠાયિકા શ્રી ચક્રેશ્વરી દેવીનું મંદિર છે. આ મંદિર ધરણાશાહે બંધાવેલું છે. (૫) શ્રી સૂર્યમંદિર - આ મંદિર કુંભારાણાએ બનાવેલું છે. રાણાની વિપત્તિકાળે આ સંરક્ષણ માટેનું સ્થાન હતું. - રાણકપુરનો વહિવટસાદડીનો સંઘ સંભાળતો હતો, સમય અને કાળ જતાં મંદિર જીર્ણ બન્યું. જીર્ણોધ્ધાર તાકીદે કરાવવાની જરૂરીયાત ઉભી થઈ. સાદડીના સંઘે શેઠશ્રી આણંદજી કલ્યાણજીની પેઢીને રાણકપુરનો વહીવટ સંભાળી લેવા વિનંતી કરી અને પેઢીએ રાણકપુરનો વહીવટ સંભાળી લીધો. તે વખતના પેઢીના પ્રમુખ શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈએ શ્રીમદ વિજયનેમિસૂરીશ્વરજી મ.સા.ની સલાહ અને આજ્ઞા લઈને આ ધર્મકાર્યની શરૂઆત કરી. અનેકશિલ્પીઓની સલાહ લઈ લીધી. પેઢીએ રૂપિયા ૪૭ લાખના ખર્ચે શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈની દોરવણી અને જાતિ દેખરેખ નીચે આ મંદિરનો ધરણાશાહના સ્વપ્ન, શિલ્પ અને સ્થાપત્ય ધ્યાનમાં રાખી ધરણવિહારનો જીર્ણોધ્ધાર કરાવ્યો. સંવતઃ ૨૦૦૯ ફાગણ સુદ-૫ ને બુધવારના રોજ આ મંદિરની બધીજ પ્રતિમાજીઓની પ્રતિષ્ઠા પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજયોદયસૂરીશ્વરજી મ.સા. તથા આચાર્ય દેવ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મ.સા.ના હસ્તક કરાવવામાં આવી. અનેક સંઘો અને યાત્રિકોની હાજરમાં ધામધૂમપૂર્વક અને ઉલ્લાસથી આ માંગલીક પ્રસંગ ઉજવાયો. * ધરણવિહાર ફરીથી સંવતઃ ૧૪૯૬માં હતું તેવું નલીની ગુલ્મ વિમાન જેવું બની ગયું. દર વર્ષે ફાગણ વદ-૧૦ ના રોજ ધરણાશાહના વંશજો કે જે હાલ ધાણેરાવમાં રહે છે તે ધ્વજદંડ ચઢાવે છે. આજે પણ શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ શેઠશ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ તથા બીજા ટ્રસ્ટીઓ રાણકપુરના વહીવટમાં તથા તીર્થની દેખરેખ પાછળ ઉડો રસ ધરાવે છે. રાણકપુરમાં ધર્મશાળા, સગવડતાવાળા બ્લોકો, ભોજનશાળા, ઉપાશ્રયની સગવડ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy