________________
૧૯૪
શ્રી અચલગઢ તીર્થ તેજપાલના સુપુત્ર લાવણ્યસિંહના કલ્યાણર્થે - ગુજરાતના સોલંકી રાજા ભીમદેવના મહામંડલેશ્વર આબુના પરમાર રાજા શ્રી સોમસિંહની સંમત્તિ લઈ તેર કરોડ ત્રેપન લાખ ખર્ચ કરી શ્રી વિમલવસહીની સામે એક ભવ્ય મંદિર નિર્માણ કર્યું, જેનું નામ શ્રી લૂણવસહી રાખ્યું. જેની પ્રતિષ્ઠા નાગેન્દ્ર મ.સા.ના શુભ હસ્તે વિ.સં. ૧૨૮૭ ફાગણ વદ - ૩ ના શુભદિને થઈ હતી. શ્રી તેજપાલના પત્ની શ્રી અનુપમાદેવીની જાતિ દેખરેખ નીચે આમંદિરનું નિર્માણ થયું હતું. આ મંદિરની કલા પણ વિશ્વભરમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. દેરાણી જેઠાણીના ગોખલાઓ આ મદિરમાં કોતરણીના ઉચ્ચ નમુનાઓ છે. મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાનની કસોટીના પાષાણમાંથી બનાવેલી મનોહર મૂર્તિ છે. બાજુમાં શ્રી પીતલહર મંદિર તથા શ્રી ખરતરવસહી મંદિરો આવેલા છે. ૦ શ્રી પીતલહર મંદિર:
શ્રી ઋષભદેવ ભગવાનની પીતલની પંચધાતુની ૧૦૮ મણ વજનની પ્રતિમાજી છે. ૦ શ્રી ખરતરવસહી મંદિર:
ત્રણ માળનું ભગવાન શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે.
બાજુમાં ઉતરવા માટે ધર્મશાળા, ભોજનશાળા તથા સુવિધાવાળા બ્લોકો છે. બાજુમાં જૈન તીર્થ શ્રી અચલગઢ આવે છે. ૦ જોવાલાયક સ્થળો -
નખી તળાવ, સૂર્યાસ્ત ટેકરી (સનસેટ પોઈન્ટ), ગૌમુખ, વશિષ્ઠાશ્રમ, કન્યાકુમારી, અધ્ધરદેવી, ટ્રેવરટેક, ગુરુશિખર છે. ગુરુશિખર માઉન્ટઆબુનું સૌથી ઉચું શિખર છે.
- Dી અચલગીરીમાં
ક
દેલવાડા તીર્થથી૪ કિલોમીટર દૂર છે. જ્યાં મહારાજા કુમારપાળે બંધાવેલ શ્રી શાંતિનાથ ભગવાનનું પ્રાચીન દેરાસર છે, તથા પહાડ ઉપર શ્રી આદીશ્વર ભગવાનનું (ચૌમુખજી) દેરાસર છે. શ્રી આદીશ્વર ભગવાનના પંચધાતુના પદ્માસનસ્થ પ્રતિમાજી છે. ૧૮ પંચધાતુના પ્રતિમાજીઓનું કુલ વજન - ૧૪૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org