SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૫ ભારતના મુખ્ય જૈન તીર્થો મણ જેટલું છે. અહીયા શ્રી આદિનાથ ભગવાન, શ્રી શાંતિનાથ ભગવાન, અને શ્રી કુંથુનાથ ભગવાન એમ ત્રણ દેરાસરો છે. યોગીરાજ વિજય શાંતિસૂરીશ્વરજી જે જગ્યાએ કાળ ધર્મ પામ્યા હતા તે રૂમમાં તેમનો મોટો ફોટો છે. ધર્મશાળા, ભોજનશાળાની સગવડ છે. 'પ્રાચીનતીર્થ શ્રીરાણકપુર III In TET Isik 'HTI, = ='' મહેન્દ્રભાઈ ગોળવાળા હિમાલયથી પણ પુરાણી અરવલ્લીની રમણીય પર્વતમાળાના આશ્રયે, વિરતા અને ગૌરવમાં અજોડ એવા મેવાડ રાજ્યની છત્રછાયામાં વિ.સં. ૧૪૪૬માં ભારતભરનાં મંદિરોમાં અદ્વિતીય એવા ઘરવિહાર પ્રાસાદનો શિલારોપણવિધિ થયો. હિંદુપત પાદશાહ મહારાણા કુંભાના મંત્રી ધરણાશાહ સ્થાપત્યકલાની આ અજોડ ભેટ ભારતના ચરણે ધરવાને ભાગ્યશાળી બન્યા. નાદિયાના વતની તથા જ્ઞાતિએ પોરવાલદ્વેતાંબર જૈન એવા શેઠ કુંવરપાલ અને તેમના પત્ની કામલદેને બે પુત્રો હતા. મોટાનું નામ રત્નાશાહ અને નાનાનું નામ ધરણાશાહ. બંને ભાઈઓએ નાનપણથીજ ખૂબ સંસ્કારી અને બુદ્ધિશાળી તરીકે નામના મેળવી હતી. તેમાં ધરણાશાહની કુશળતા તેમજ ઉદાર પ્રકૃતિનો પરિચય કુંભારાણાને થતાં તેમણે રાજકારભારને યોગ્ય જાણી ધરણાશાહને મંત્રીપદ આપ્યું. શ્રી સોમસુંદરસૂરિ જેવા પ્રભાવક આચાર્યના ઉપદેશથી તેમનું જીવન ધાર્મિકતા તરફ વળ્યું હતું. ધરણાશાહે બત્રીસ વર્ષની ભરયુવાનીમાં શત્રુજ્ય પર જાદા જાદા નગરોથી એકઠા થયેલા બત્રીસ સંઘો વચ્ચે સંઘતિલક કરાવી ઈન્દ્રમાળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy