________________
૧૯૧
ભારતના મુખ્ય જૈન તીર્થો મ.સા. ના ગુરૂમંદિરો છે. દેરાસર દર્શનીય છે.
ખંભાતમાં ઉતરવા માટે નવું યાત્રિક ભવન ત્રણ દરવાજા પાસે બન્યું છે. સંપૂર્ણ સગવડતાવાળું છે. ભોજનશાળાની પણ સગવડ છે. (૩) ખંભાતમાં પેસતા એસ.ટી. સ્ટેન્ડ પાસે દહેવાણનગરમાં મૂળનાયક શ્રી મહાવીર સ્વામી ભગવાનનું ભવ્ય દેરાસર નવીન પ્રકારની બાંધણીવાળું બન્યું છે. વર્તમાન ચોવીશીના ર૪ તીર્થકરો તેમાં બિરાજમાન છે. (૪) સકરપુરમાં શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન, શ્રી સીમંધર સ્વામી ભગવાન તથા ગુરૂગૌતમસ્વામી એમ - ૩ મંદિરો આવેલા છે. (૫) વડવા આશ્રમ -
"ક્ષમા એ મોક્ષનો ભવ્ય દરવાજો છે.”
ખંભાતથી આશરે ૪થી ૫ કિલોમીટર દૂર આવેલ આ આશ્રમ છે. શ્રીમદ્ રાજચંદ્ર આ ભૂમિ પર પધાર્યા હતા. સામે ખડકીમાં ઉતર્યા હતા. સ્વાધ્યાય સાધના કરી હતી. ભવ્ય દેરાસર છે, જેમાં મૂળનાયક પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાન બિરાજમાન છે. તથા ગુરૂગૌતમસ્વામીની મૂર્તિ છે.
શ્રી સદ્ગુરુપ્રાસાદ છે. જેમાં શ્રીમદ રાજચંદ્રની મૂર્તિ છે. સ્વાધ્યાય હોલ, ભાઈઓ તથા બેનો માટે જુદા રહેવાના આવાસો તથા ભોજનશાળાની સગવડ છે. સાધના કરવા માટે સુંદર જગ્યા છે. કારતક સુદ - ૧૫ શ્રીમદ રાજચંદ્રનો જન્મ દિવસ છે, વરઘોડો નીકળે છે દીવાલો ઉપર લખેલાં સુવાક્યો વાંચવા જેવા છે. પર્યુષણમાં ઘણા મુમુક્ષો પધારે છે.
પેટી- શ્રીમદ્ રાજચંદ્ર નિજાભ્યાસ મંડપ તથા વિહારભવન ટ્રસ્ટ, વડવા આશ્રમ - મેતપુર - ખંભાત.
થી દેલવાડા તીર્થ - (પાઉન્ટ આણ)
દેલવાડા-આબુનાં સંગેમરમરનાં મંદિરો સુપ્રસિદ્ધ છે. આ મંદિરો સારાયે ભારતવર્ષમાં સર્વોત્તમ છે. સ્થાપત્ય કલાનાં ક્ષેત્રમાં એ અદભૂત અને અદ્વિતિય લેખાય છે.
અમદાવાદ -દિલ્હી રેલ્વે માર્ગવચ્ચે આબુરોડ સ્ટેશન આવે છે. મોટરમાર્ગે પણ જવાય છે. આબુરોડથી માઉન્ટ આબુ ૩૨ કિલોમીટર દૂર છે, માઉન્ટ આબુથી દેલવાડા - ૨ કિલોમીટર દૂર છે. સમુદ્રની સપાટીથી લગભગ ૧૨૨૦ મીટર ઉચે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org