SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ જ્ઞાન ભંડારો ૫૪૫ - જૈનોના ઘરો આવેલ છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે વિ.સં. ૧૧૫૦ માં અહીંસા દીક્ષા અંગીકાર કરી હતી. ગુલાબવિજયજી ઉપાશ્રયમાં શ્રી હેમચંદ્રાચાર્ય સ્થિરતા કરતા હતા. મહારાજા કુમારપાળને આજ ઉપાશ્રયમાં પુસ્તકોની વચ્ચે સંતાડયા હતા. આ ઉપાશ્રય ખારવાડા વિસ્તારમાં શ્રી સ્થંભન પાર્શ્વનાથ ભગવાનના દેરાસરની પાસે છે. શ્રી ખંભાત તીર્થ ખંભાતના દાનવીરોમાં શેઠ રાજીયાવાજીયા, તેજપાળ સંઘવી, ઉદયકરણ સંઘવી વગેરે મુખ્ય હતા. મહાકવિ શ્રી ઋષભદાસજી કે જેઓએ અનેક રાસગ્રંથોની રચના કરી હતી તેઓ ખંભાતના હતા. શ્રી સોમસુંદરસૂરિજી, જગદગુરુ શ્રી હીરવિજયસૂરિજી, શ્રી વિજયસેનસુરિજી અને શ્રી વિજયદેવસૂરિજીની નિશ્રામાં અનેક પ્રતિષ્ઠાઓ, ઉત્સવો, તપશ્ચર્યાઓ થઇ હતી તથા અનેક છ’રી પાળતા સંઘો નીકળ્યા હતા. (૧) આ પ્રાચીન નગરીમાં મુખ્ય શ્રીસ્થંભન પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર છે. જે ખંભાતના ખારવાડા વિસ્તારમાં આવેલ છે. ત્રણ શિખરોવાળું ભવ્ય ગગનચુંબી જિનાલય છે. આ મંદિરનો છેલ્લો જીર્ણોદ્વાર પ્રતિષ્ઠા મહોત્સવ સંવત. ૧૯૯૪માં શાસન સમ્રાટ આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ,સા‚ની નિશ્રામાં થયો હતો. મૂળનાયક શ્રી સ્થંભન પાર્શ્વનાથ ભગવાનની ૨૩સે.મી.નીનિલમની પદ્માસનસ્થ પ્રાચીન મૂર્તિ છે. આ પ્રતિમાજીનો ઈતિહાસ ખુબજ પ્રાચીન છે. શ્રી રામચંદ્રજી, શ્રી લક્ષ્મણજી, શ્રી કૃષ્ણ ભગવાન, શ્રી નાગકુમાર દેવ, શ્રી ઇન્દ્ર મહારાજા, શ્રી ધરણેન્દ્ર દેવ વગેરેએ ભાવ, ભકિતપૂર્વક તેમની ભકિત કરી હતી. શ્રી રામચંદ્રજી તથા શ્રી લક્ષ્મણજીની ભકિતથી દરીયાના પાણી સ્થીર થયા અને શ્રી રામચંદ્રજી,શ્રી લક્ષ્મણજી લંકા પહોંચ્યા. દરીયાના પાણી થંભાવ્યા આથી પ્રભુજી સ્થંભન પાર્શ્વનાથ ભગવાનના નામે પ્રચલિત થયા. શ્રી અભયદેવસૂરી મ.સા.નો દેહ શ્રી સ્થંભન પાર્શ્વનાથ ભગવાનના જવણ જળથી નિરોગી બન્યો હતો. (૨) ખંભાતનું બીજું ભવ્ય દેરાસર ત્રણ દરવાજા પાસે આવેલ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર છે. ભોંયરામાં શ્રી સ્થંભન પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ છે. દેરાસર વિશાલ છે. ૭૬ લાખના ખર્ચે દેરાસરનો જિર્ણોદ્ધાર થયો છે. કાચના ભવ્ય દરવાજાઓ છે. બહારના ભાગમાં ૫.પૂ આચાર્ય ભગવંત વિજય શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા. તથા ૫.પૂ. આચાર્યભગવંત વિજય શ્રી રામચંદ્રસૂરીશ્વરજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy