SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૯ ભારતના મુખ્ય જૈન તીર્થો પ્રતિષ્ઠા સંવત. ૧૯૮૫ જેઠ સુદ -૩ અને પછી નવું મંદિર બંધાવી તેમની પ્રતિષ્ઠા સંવત. ૨૦૦૭ વૈશાખ સુદ -૫ ના રોજ પ.પૂ. આચાર્યદેવ શ્રી વિજય સિદ્ધિસૂરિજી મા.સા.ની નિશ્રામાં ધામધૂમપૂર્વક થઈ હતી. ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ છે. પેઢી - શ્રી સાચાદેવ સુમતિનાથ જૈન પેઢી માતર - જિલ્લો - ખેડા – પીન : ૩૮૭૫૩૭ ટે. નં. ૩૦ . શ્રી ખંભાત તીર્થ ખંભાત એ પ્રાચીન નગરી છે. ખંભાત એ પ્રાચીન બંદર છે. એક સમયે ચોસઠ બંદરનો વાવટો ફરકતો હતો. નગરનું પ્રાચીન નામ ત્રંબાવતી નગરી હતું. અમદાવાદથી ખેડા અને ખેડાથી માતર થઈ ખંભાત જવાય છે. ખેડાથી ખંભાત ૫૬ કિલોમીટર દૂર છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના સમયમાં ખંભાતમાં સો કરોડપતિઓ વસતા હતા. ખંભાત એ ગુજરાતનું પ્રાચીન મહાન વ્યાપારી બંદર ગણાતું હતું. પૂર્વ સમયમાં ખંભાતમાં ૮૫ દેરાસરો તથા ૪૫ ઉપાશ્રયો હતા. ખંભાતના જૈન શ્રેષ્ઠીઓ દાનસૂરા હતા. ધર્મ માટે તેઓ સર્વસ્વ ન્યોછાવર કરવાની વૃત્તિ ધરાવતા હતા. ખંભાતમાં હાલમાં - ૬૭ દેરાસરો ખંભાતમાં ૨ સકરપુરમાં ૧ રાલેજમાં દેહવાણનગરમાં ૧_ વડવામાં ૭૨ - દેરાસરો ૧૦ - ઉપાશ્રય - પોષધશાળા ૩ - ધર્મશાળા ૧ - પાંજરાપોળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy