________________
ભારતના મુખ્ય જૈન તીર્થો
૧૮૭ શ્રી આદીશ્વર ભગવાનને અર્જુન' કહી સંબોધે છે.
મૂળનાયક ભગવાનના ગભારાની પાછળના ભાગની ભીતમાં સુંદર કારણી કરેલી છે. મંદિરના પાછળના ભાગમાં સમળીવિહારનો પટ અર્ધાભાગમાં છે, જેમાં પટમાં લંકાના રાજા બેઠેલા છે, તેમના ખોળામાં રાજકુમારી છે. ભેટયું ધરીને ઉભેલાં જૈન ગૃહસ્થો, પગલાં, અશ્વ વિગેરેની આકૃતિઓ છે.
આ દેવાલયની જગતમાં ચારે બાજાએ ફરતી ગજસર છે. તેમજ નર-નારીનાં જોડલાની નરસર છે. તદુપરાંત દેવ, યક્ષ, યક્ષિણીનાં મોટાં પૂતળા ફરતે બેસાડેલાં છે. કેટલેક સ્થળે દાંમ્પત્યજીવનની આકૃતિઓ છે.
રંગમંડપમાં તોરણ ખુબ સુંદર છે.
મંદિરમાં બધા મળીને ૯૪ સ્તંભો છે. જેમાં ૨૨ સ્તંભો સુંદર કોતરણીવાળા છે. કોરણીવાળા સ્તંભોમાં દેવ - દેવીઓ અને વિધાધરોની આકૃતિઓ આલેખેલ છે. (૨) શ્રી મહાવીરસ્વામી ભગવંતનું મંદિર -
શ્રી નેમિનાથ ભગવાનના મંદિરની પૂર્વમાં શ્રી મહાવીર સ્વામી ભગવાનનું મંદિર આવેલ છે. રંગમંડપની છતમાં બહુ સુંદર બારીક કોતરણી છે. તીર્થકરના સમવસરણના દેખાવો, શ્રી નેમિનાથજીની જાનનું દ્રશ્ય, સાધુઓની દેશના, ભરત ચક્રવર્તી અને બાહુબલિનું યુદ્ધ વિગેરે મનોહર ચિત્રો છે. શ્રી મહાવીર સ્વામી ભગવાનની મૂર્તિ રાા હાથ ઉંચી છે. (૩) શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર -
આ મંદિર પણ શ્રી નેમિનાથ ભગવાનનાં મંદિર જેવું વિશાલ અને ભવ્ય છે. મંદિરમાં પ્રવેશવાનાં ત્રણ વાર, પ્રદક્ષિણા અને બન્ને બાજુ થઈને ૧૬દેવાલયો બનાવેલાં છે. કેટલાક તોરણો અને ઘુમ્મટોની આકૃતિઓ શ્રી મહાવીર સ્વામીનાં મંદિર જેવી છે. (૪) શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર -
આ મંદિર પણ શ્રી નેમિનાથ ભગવાનનાં મંદિર જેવું વિશાલ અને મનોરમ્ય છે. છતમાં રહેલી અદ્દભૂત કરણી, વિવિધ આકૃતિઓ, તેના ખંભા, કમાનો, તોરણ અને ઘુમ્મટના આકારો ખાસ જોવા જેવા છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org