________________
૧૮૬
શ્રી કુંભારિયાજી તીર્થ વળી બાવીશમાં તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાનના તે અધિષ્ઠાયિકા દેવી છે. અંબાજીમાતાની કૃપાથી વિમળશાહ મંત્રીએ આ પાંચે મંદિરો બનાવ્યા હતા. તેમજ કહેવાય છે. કે અંબાજીનું મંદિર પણ વિમળશાહ મંત્રીએ બનાવેલ છે. વિમળશાહ પોતે બંધાવેલ દરેક મંદિરમાં અંબિકાદેવીને સ્થાપન કરતા હતા.
આરાસણ નગરમાં ગોગા મંત્રીનો પુત્ર પાસિલ હતો. તેને અંબિકાદેવીની કૃપાથી ૪૫૦૦૦ સોનામહોરો ખર્ચીને આ મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવી સંવત : ૧૧૯૩ વૈશાખ સુદ - ૧૦ ના રોજ આચાર્ય ભગવંત શ્રી વાદિદેવસૂરિનાં હાથે પ્રતિષ્ઠામહોત્સવ કરાવ્યો હતો. છેલ્લો જીર્ણોદ્ધાર શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ કરાવ્યો છે.
(૧) શ્રી નેમિનાથ ભગવંતનું મંદિર -
કુંભારિયાજીમાં આવેલા પાંચે મંદિરોમાં શ્રી નેમિનાથ ભગવાનનું મંદિર ત્રણમાળનું સૌથી મોટું, ઉન્નત અને વિશાલ છે. આ મંદિરનો મૂળ ગભારો, વિશાલ ગૂઢમંડપ, દશચોકી, સભામંડપ, ગોખલા, શૃંગાર ચોકી, બન્ને બાજુના મોટા ગભારા, ચોવીશ દેવકુલિકાઓ, વિશાલ રંગમંડપ, શિખર, કોટ, ટકોરખાનાનો ઝરૂખો વિગેરેથી મંદિર શોભી રહ્યું છે. દેરાસરની બાંધણી એવી માપસર અને સુંદર છે કે મંદિરના પ્રવેશદ્વાર ઉપર ઉભા રહીને મૂળનાયક ભગવાનનાં દર્શન થઈ શકે છે. મૂળગભારામાં મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાનની ભવ્ય અને રમણીય મૂર્તિ બિરાજમાન છે. રંગમંડપમાં ૪ કાઉસગ્ગીયા, તથા એક યક્ષની પ્રતિમા છે.
૧૭૦ જિનનો સુંદર પટ છે. પગથિયા ઉપર ટકોરખાનાનો ઝરૂખો છે. સ્તંભમાં બે મૂર્તિઓ તથા ધાતુની પંચતીર્થી છે.
ડાબા હાથ તરફની ચોકીના ગોખલામાં નંદીશ્વરદ્વીપની સુંદર રચના છે. એક સુંદર ગોખલામાં એક કાઉસગ્ગીયા પ્રતિમા છે, જેની ઉપર એક પ્રતિમાજી બિરાજમાન છે.
જમણા હાથે દેરીમાં અંબાજી માતાની મોટી મૂર્તિ છે.
સભા મંડપમાં ડાબા હાથે શ્રી આદીશ્વર ભગવંતની મૂર્તિ છે. તથા જમણા
હાથે મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રાચીન પ્રતિમાજી છે.
આદીવાસી લોકો
શ્રી નેમિનાથ ભગવાનને 'યુધિષ્ઠિર’
શ્રી પાર્શ્વનાથ ભગવાનને ‘ભીમદાદા’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org