________________
૧૮૫
ભારતના મુખ્ય જૈન તીર્થો ઓળખાય છે. અહી ૪ (ચાર) દેરીઓ છે. મોબારી :
મોક્ષબારી નામની બીજી ટૂક મંદિરની પૂર્વ દિશામાં ૧ કિલોમીટર દૂર છે. જેને પુણ્યબારી કહેવાય છે. અહીંયા દેરીમાં શ્રી અજીતનાથ ભગવાન વગેરેની પ્રાચીન ચરણપાદુકાઓ છે. દેરીમાં પરિકરયુક્ત ભગવાનની મૂર્તિ છે. પરિકર પ્રાચીન છે. સંવત ઃ ૧૨૩૫ના વૈશાખ સુદ - ૩ ના રોજ તેની પ્રતિષ્ઠા થયેલ છે. શિદ્ધશિલા :
શિદ્ધશિલા નામની ત્રીજી ટૂકમૂખ્ય મંદિરના વાયવ્ય દિશામાં ૧ કિલોમીટર દૂર છે. અહીયા ચૌમુખજી તથા શ્રી અજીતનાથ ભગવાનની ચરણ પાદુકાઓ છે, જેની પ્રતિષ્ઠા સંવત : ૧૮૩૬માં થઈ હતી.
તારંગામાં ધર્મશાળા, સગવડતાવાળા નવા બ્લોકો, ભોજનશાળા વગેરે સગવડ છે.
તારંગા તીર્થનો વહીવટ શેઠ આણંદજી કલ્યાણજી પેઢી સંભાળે છે. તારંગા, જી. મહેસાણા
શ્રી કુંભારિયાજી તીર્થ (શ્રી આરાસણ તીથ)
શ્રી કુંભારિયાજી અમદાવાદથી બસદ્ધારા જવાય છે. અહીંથી અંબાજી ૧૫ માઇલ છે, જ્યારે આબુરોડ સ્ટેશન માત્ર ૧૩ માઇલ છે, આરાસુરના પર્વતોની વચ્ચે આ તીર્થ આવેલું છે. શ્રી કુંભારિયાજીની આજુબાજા આરસની ખાણો આવેલી છે, જેથી તેને આરાસણ તીર્થ કહેવામાં આવે છે. ભારતભરની કેટલીય જીન પ્રતિમાઓ અત્રેની ખાણોના આરસમાંથી બનેલી છે. કુંભારિયાજી અને અંબાજી વચ્ચે નદી આવે છે.
ગુજરાતમાં અણહિલપુર પાટણની રાજગાદીએ ચેલુકા ભીમદેવ બીરાજતા હતા. તેમને વિમલશાહ નામના મહામાત્ય હતા. વિક્રમની અગીયારમી સદીના મધ્ય ભાગમાં વિમળશાહ મંત્રીએ કુંભારિયાજીમાં પાંચ મંદિરો બનાવ્યા હતા. આબુના વિમળશાના દેરાસરોની આમાં કોરાણી લેવામાં આવી હતી. વિમળશાહ મંત્રીને અંબાજીમાતા પર ખુબ આસ્થા હતી અને અંબાજીમાતા તેમના કુળદેવી હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org