________________
ભારતના મુખ્ય જૈન તાથાં
૧૮૧ રાજ્યાભિષેક થયો. મહારાજા કુમારપાળે શ્રી હેમચંદ્રાચાર્યને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા. તેઓશ્રીના ઉપદેશ મુજબ તેઓ રાજ્ય વહીવટ કરતા હતા.
એક દિવસની વાત છે.
ગુરુદેવનાં ચરણો પાસે રાજા કુમારપાળ બેઠા છે. રાજા પોતાના અંગત જીવનની વાતો કરે છે. ગુરુદેવ શાંતિથી સાંભળે છે. રાજા પોતાના રઝળપાટની વાતો કરતાં કરતાં એક દુર્ઘટનાની વાત કહે છે.
પ્રભુ, સિદ્ધરાજના ભયથી છુપાતો - છુપાતો હું અરવલ્લીના પહાડોમાં પહોંચ્યો હતો. તારણગિરિના ડુંગર ઉપર એક ઘટાદાર વૃક્ષની નીચે બેઠો હતો. ખુબ થાક્યો હતો. કંટાળેલો હતો. પરંતુ અચાનક ત્યાં એક દ્રશ્ય જોયું ને મારો થાક હું ભૂલી ગયો. કંટાળો પણ જતો રહ્યો. વૃક્ષના પોલાણમાંથી એક ઉંદર બહાર આવ્યો. તેના મોંઢામાં ચાંદીનો એક સીક્કો હતો. તેણે એક જગ્યાએ એ સીક્કો મૂકયો અને પાછો દરમાં ગયો. થોડી જ વારમાં બીજો સીક્કો લઈને બહાર આવ્યો. તે સીક્કો પણ પહેલાંના સીક્કા પાસે મૂકયો. અને પાછો દરમાં ગયો. થોડી જ વારમાં ત્રીજો સીકો લઈને બહાર આવ્યો. આ રીતે એ ૩૨ સીક્કા બહાર લઈ આવ્યો. અને નાચવા લાગ્યો.
મને વિચાર આવ્યો, ઉદર આ સીક્કાઓને શું કરશે? એને આ સીક્કા કોઈ કામમાં આવવાના નથી. જ્યારે મારે તો ખૂબ કામમાં આવશે. મારી દરિદ્રતાએ મને એ ચાંદીના સિક્કા લઈ લેવા પ્રેરિત કર્યો. મેં વિચાર્યું કે આ ઉંદર દરમાં જાય એટલે સીક્કા લઈ લઉં. ઉંદર દરમાં ગયો. મેં સીક્કા લઈ લીધા.
ઉદર દરમાંથી બહાર આવ્યો. તેણે સીક્કાના ના જોયા એટલે ચારે બાજા જોવા લાગ્યો. વૃક્ષની આસપાસ દોડવા લાગ્યો. પછી ત્યાં પડેલા એક પથ્થર ઉપર માથું પછાડવા લાગ્યો. હું જોતો રહ્યો –ને એ મરી ગયો.
ભગવંત, ઉદરના મૃત્યુથી મારા દિલમાં ઘણું દુઃખ થયું, મારા મનમાં થયું કેમેંઆ ચાંદીના સીક્કાના લીધા હોત તો સારું થાત. પરતું એ રાંડ્યા પછીનું ડહાપણ હતું.
ગુરૂદેવ આ પાપનું પ્રાયશ્ચિત આપો.
ગુરૂદેવે કહ્યું કુમરપાળ, જે જગ્યાએ ઉદર મૃત્યુ પામ્યો હતો એ જગ્યાએ એક ભવ્ય દેરાસર બંધાવવું જોઈએ. એજ પ્રાયશ્ચિત છે. આજે પણ તારંગાના પહાડ ઉપર એ ભવ્ય દેરાસર ઊભેલું છે. તેમાં શ્રી અજિતનાથ ભગવાનની ભવ્ય પ્રતિમા બિરાજમાન છે. આઠસો વર્ષ પછી પણ આ દેરાસર આપણને આ કથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org