________________
૧૮૦
શ્રી તારંગા તીર્થ કુમારપાલ બનશે. તે મહાનશુરવીર હશે. પરાક્રમી હશે. એ રાજા બનીને જૈનધર્મનો ખૂબ વિસ્તાર કરશે. અહિંસા ધર્મનો ફેલાવો કરશે.
સંઘ પાટણ પહોંચ્યો.
રાજાએ જ્યોતિષીઓને પૂછયું. તેઓએ પણ એકજ જવાબ આપ્યો કે આપના ભાગ્યમાં સંતાન નથી.
રાજા-રાણી ગુપ્તરીતે સોમનાથ મહાદેવ ગયા. તેમની આરાધના કરી, તેઓએ પણ આજ જવાબ આપ્યો કે તારા ભાગ્યમાં સંતાન નથી અને ગુજરાતની ગાદી ઉપર તારા પછી કુમારપાળ બેસશે.
રાજા સિદ્ધરાજને કુમારપાળ માટે ધૃણા હતી, તે રાજગાદી ઉપર આવે તે વાત પણ તેમને પસંદ નહોતી, જેથી મનમાં નક્કી કર્યું કે કુમારપાળને રાજગાદી ઉપર નહી આવવા દઉં, તેને જીવતો નહી રાખું. કુમારપાળને પકડવા માટે સૈન્યની ટુકડી તૈયાર કરી કામ સોંપ્યું.
રાજા ત્રિભુવનપાલ દધિસ્થલીના રાજા હતા. તેમને કાશ્મીરાદેવી નામની રૂપ અને ગુણોની મૂર્તિ સમી પત્ની હતી. કાશમીરાદેવીની કક્ષામાં ઉત્તમ જીવ આવ્યો તે પછી કાશમીરાદેવીના મનમાં સારી સારી ઇચ્છઓ થવા લાગી.
હું સમગ્ર પૃથ્વીનું રક્ષણ કરું. હું જગતના બધા જીવોને અભયદાન આપું. હું મનુષ્યોને બધા વ્યસનો છોડાવી દઉં. હું કોઈ ગરીબને ગરીબ ના રહેવા દઉં. હું પરમાત્માના મંદિરો બંધાવું.
સંવત. ૧૧૪૯માં કાશમીરાદેવીએ એક સુંદર તંદુરસ્ત પુત્રને જન્મ આપ્યો. એ વખતે આકાશમાં દેવવાણી થઈ. આ બાળક વિશાલ રાજ્ય પ્રાપ્ત કરશે. અને તેમાં ધર્મનું સામ્રાજ્ય સ્થાપિત કરશે. યૌવનમાં પ્રવેશતાં કુમારપાળના ભોપાળ દેવી સાથે લગ્ન થયા.
રાજા સિદ્ધરાજે કુમારપાળને મારવા માટે તંત્ર ગોઠવી દીધું હતું. કુમારપાળ છુપાતા-સંતાતા ફરતા હતા. એક વખત ગરૂદેવ શ્રી હેમચંદ્રાચાર્યે પણ કુમારપાળને ખંભાતમાં જ્ઞાનભંડારમાં સંતાડીને બચાવ્યા હતા. આ ઉપાશ્રય હાલમાં ખંભાતમાં શ્રી સ્થંભન પાર્શ્વનાથના દેરાસરની પાસે છે.
સંવત ૧૧૯૯માં રાજા સિદ્ધરાજ અવસાન પામ્યા. ૫૦ વર્ષની ઉમરે કુમારપાળનો સંવત ૧૧૯૯ માગસર વદ-૪ ને રવિવારના રોજ પુષ્યનક્ષત્રમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org