SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૧૭૯ ઉપર મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાનની, રાજા-રાણી તથા પરિવારે ભાવપૂર્વક પૂજા ભક્તિ કરી તથા આચાર્યદેવે પણ નવા નવા કાવ્યો તથા સ્તુતિઓ બનાવીને પરમાત્માની ભકિત કરી. જૂનાગઢમાં પણ સદાવ્રતો ખોલ્યાં. સંઘ પ્રભાસપાટણ ભગવાન સોમનાથનાં દર્શન કરવા ગયો. સિદ્ધરાજના મનમાં શંકા હતી કે ગુરુદેવ સોમનાથ મહાદેવને નમન કરશે કે નહી? પરંતુ આચાર્યદેવે તો મહાદેવને નમન કર્યું અને ત્યાં બેસીને મહાદેવની સ્તુતિઓ બોલવા માંડી ને ૪૪ શ્લોક બનાવીને બોલ્યા. સંઘ કોડીનાર પહોંચ્યો. કોડીનારની અંબિકાદેવી એટલે હજરાહજુર દેવી. એના પ્રભાવોની વાતો સૌરાષ્ટ્ર અને ગુજરાત સુધી ફેલાયેલી હતી. દુઃખોને દૂર કરનારી અને જોઈતાં સુખો આપનારીદેવીના દર્શન કરવા દૂર દૂરથી લોકો કોડીનાર આવતા હતા. શ્રી અંબિકાદેવી ગિરનારતીર્થના અધિષ્ઠાયિકા દેવી છે પણ હવે તો તે સૌ વર્ણના દેવી તરીકે પૂજાય છે. રાજા-રાણીએ દેવીના દર્શન-પૂજન કર્યા. રાજાએ આચાર્યદિવને અતિ નમ્રતાથી વિનંતી કરી. ગુરુદેવ, મારી પાસે સોના-ચાંદીના ભંડારો ભરેલા છે. હિરા-મોતીના ખજાના ભરેલા છે. હાથી, ઘોડા અને રથ પાર વિનાના છે. મારું રાજ્ય વિશાલ છે. તે છતાં ગુરુદેવ હું અને રાણી બંને દુઃખી છીએ. અમારાહદયમાં સંતાપનો પાર નથી. કારણ કે આપ જાણો છો. અમને એક પણ પુત્ર નથી. * ગુરુદેવ, મારી એક વિનંતી છે કે આપ દેવી અંબિકાદેવીની આરાધના કરી દેવીને પૂછી લો કે મને પુત્ર મળશે કે નહી? અને મારા મૃત્યુ પછી ગુજરાતનું રાજ્ય કોણ સંભાળશે? આચાર્યદેવે કહ્યું ભલે હું દેવીને પૂછી લઉ છું. આચર્યદવે ત્રણ ઉપવાસ કર્યા. દેવીના મંદિરમાં બેસી ગયા. બાનમાં નિમગ્ન થઈ ગયા. ત્રીજા દિવસે મધ્ય રાત્રિના સમયે દેવી અંબિકા, ગુરુદેવની સામે પ્રગટ થઈ. દેવીએ ગુરુદેવને હાથ જોડી વંદના કરી. ગુરુદેવ મને શા માટે યાદ કરી? ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહના ભાગ્યમાં પુત્રપ્રાપ્તિનો યોગ છે કે નહી? સિદ્ધરાજના મુત્યુ બાદ ગુજરાતનો રાજા કોણ થશે?' . આ દેવીએ કહ્યું "એનાં પૂર્વજન્મના પાપકર્મોના યોગે પુત્રપ્રાપ્તિ નહી થાય, . સિદ્ધરાજ પછી ગુજરાતનો રાજા સિદ્ધરાજના ભત્રીજા ત્રિભુવનપાલનો પુત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy